For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટ ડી.આઇ.એલ.આર. અને નાયબ નિયામક તોડ કરતા હોવાની ફરિયાદ

03:48 PM Nov 29, 2025 IST | Bhumika
રાજકોટ ડી આઇ એલ આર  અને નાયબ નિયામક તોડ કરતા હોવાની ફરિયાદ

રાજકોટ જીલ્લાની ડી.આઈ.એલ.આર. તથા નાયબ નિયામક)ની ક્વેરીમાં છેલ્લાં ઘણા સમયથી "રાંડી રાંકનું ખેતર અને બાવો રખોલીયો" જેવી સ્થિતિ સર્જાયેલ છે. ત્યારે ભાજપ નેતાની સરકારને કરેલ ફરીયાદ બાદ વધુ એક વખત રાજકોટના એડવોકેટ હિતેષ રાદડીયા તથા ઢોલરા તેમજ નાના માંડવા ગામના ખેડુતોએ આ બંન્ને ભ્રષ્ટ અધિકારીઓ વિરુધ્ધ મહેસુલ વિભાગ, સેટલમેન્ટ કમિશનર, વિજીલન્સના કમિશનર, નાયબ મુખ્યમંત્રી, મુખ્યમંત્રી, એન્ટી કરપ્શન બ્યુરો તેમજ કલેકટરને રી-સર્વે માપણી સંબંધીત ભ્રષ્ટાચાર અંગેની ફરીયાદ અરજી આપેલ છે.

Advertisement

આ ફરીયાદની હકીકત એવી છે કે, છેલ્લાં ઘણા સમયથી ડી.આઈ.એલ.આર, અને નાયમ નિયામકની કચેરી દ્વારા રી-સર્વે માપણીમાં ખેડુતોની જમીનોની ખોટી માપણી કરીને તેમાં સુધારા કરવાના ઓઠા હેઠળ ખુબ જ મોટી રકમના તોડ કરતા હોય, પૈસા વગર ખેડૂતોના કામો થતા ન હોય, તેટલું અપુરતું હોય તેમ સક્ષમ ઓથોરીટીના હુકમનું પણ પાલન ન કરીને મનઘડત રીતે કાર્યવાહી અને નિર્ણયો કરતા હોવાથી રાજકીય આગેવાનો, વકીલોએ આ બંન્ને અધિકારીઓને ઉડાઉ જવાબ આપીને પોતાની મનમાની કરતા હોય, આ બન્ને અધિકારીઓને કાયદો તેમજ વ્યવસ્થાનો કોઈ ડર જ ન હોય, તે મતલબની ફરીયાદ સૌપ્રથમ ભાજપ નેતા અર્જુનભાઈ ખાટરીયા અને ત્યારબાદ એડવોકેટ હિતેષ રાદડીયા અને ઢોલરાના ખેડુત વિનુભાઈ સખીયા વિગેરે તેમજ નાના માંડવા ગામના ખેડૂત કુસુમબેન રાઠોડએ સરકારમાં ફરીયાદ દાખલ કરીને આ બંન્ને ભ્રષ્ટ અધિકારીઓ વિરુષ સખતમાં સખત કાર્યવાહી કરીને ફરજ પરથી બરતરફ કરવા અને રી-સર્વે માપણીના પ્રશ્નોનું તાત્કાલીક નિવારણ લાવવાની માંગ કરેલ છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement