For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પાટડીના નારણપુરામાં ચરવા ગયેલી નવ ભેંસોની ચોરી, પશુ પાલકની ફરિયાદ

11:32 AM Sep 27, 2025 IST | Bhumika
પાટડીના નારણપુરામાં ચરવા ગયેલી નવ ભેંસોની ચોરી  પશુ પાલકની ફરિયાદ

પાટડી તાલુકાના નારણપુરાના ચરવા ગયેલી નવ ભેંસોની ચોરી થઈ છે. જે અંગે પશુપાલકે રૂૂ. 1.95 લાખની નવ ભેંસો ચોરાયાની પાટડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરી અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

પાટડી તાલુકાના નારણપુરા ગામના ગોપાલ મુંધવા પોતાની માલિકીની ભેંસો લઈ નારણપુરા ગામની ખારાવાડી સીમમા ચરાવવા માટે ગયો હતો. બાદમાં એને તાવ આવતા એ પોતાની 17 ભેંસો સીમમાં મુકી ઘેર આવી ગયો હતો. એમાંથી માત્ર 7 ભેંસો જ સાંજે ઘેર પરત આવી હતી.

જે અંગે બાકીની 10 ભેંસોની સઘન શોધખોળ કરવા છતાં કોઈ ભાળ મળી નહોતી. બાદમાં એમાંની એક ભેંસ રણકાંઠામા ટુંડી ટાવર પાસેથી પાણીમાંથી મળી આવી હતી. જેને સુતરના (રાસ) દોરડા વડે મૌયડો નાંખી તથા રાસનો નાનો ટુકડો બાંધેલો હતો. આથી એમની ચરવા ગયેલી નવ ભેંસો ચોરાતા ચકચાર મચી જવા પામી છે. જે અંગે ગોપાલભાઈએ રૂૂ. 1.95 લાખની નવ ભેંસો ચોરાયાની પાટડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરી અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ પાટડી પીઆઇ બી.સી.છત્રાલીયા ચલાવી રહ્યાં છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement