ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મોરબીમાં વ્યાજખોરનો આતંક: એક લાખના 70 હજાર ચૂકવ્યા છતાં 1.70 લાખની માગણી

12:22 PM Feb 15, 2025 IST | Bhumika
Advertisement

યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસમાં ફરિયાદ

Advertisement

મોરબીમાં વ્યાજખોરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક યુવાન પર વ્યાજખોરે પઠાણી ઉઘરાણી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. નાની વાવડી રોડ પર બાપા સીતારામની મઢુલી પાસે ભક્તિનગરમાં રહેતા હર્ષદભાઈ મનુભાઈ કંઝારીયા (28)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, હર્ષદભાઈએ કાલિકા પ્લોટ દરગાહ પાસે રહેતા કૃણાલ શાહ પાસેથી 30 ટકાના વ્યાજે એક લાખ રૂૂપિયા લીધા હતા. આ રકમ સામે તેમણે વ્યાજ પેટે 70,000 રૂૂપિયા ચૂકવી દીધા હતા. આમ છતાં, આરોપી કૃણાલ શાહે તેમની પાસેથી 1.70 લાખ રૂૂપિયાની વધારાની માગણી કરી હતી.

ઘટના ત્યારે બની જ્યારે હર્ષદભાઈ વાવડી રોડથી પંચાસર રોડ તરફ જતા કાચા રસ્તે અભિનવ સ્કૂલ પાસેથી પસાર થઈ રહ્યા હતા. આરોપીએ તેમને રોકીને બળજબરીપૂર્વક પૈસાની ઉઘરાણી કરી અને ગાળાગાળી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને આરોપીની ધરપકડ માટેની કાર્યવાહી શરૂૂ કરી છે. એ ડિવિઝનના ઙજઈં એન.એ.ગઢવી આ કેસની તપાસ કરી રહ્યા છે. આ ઘટના વ્યાજખોરીની સમસ્યાની ગંભીરતા દર્શાવે છે, જ્યાં સામાન્ય નાગરિકોને ઊંચા વ્યાજદર અને ધમકીનો સામનો કરવો પડે છે.

Tags :
gujaratgujarat newsmorbimorbi news
Advertisement
Advertisement