ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મોરબીમાંથી 20 દિવસ પહેલા ગુમ થયેલ સગીરનું પરિવાર સાથે મિલન

11:57 AM Sep 15, 2025 IST | Bhumika
Advertisement

મોરબીના મકનસર ગામે રહેતો 12 વર્ષનો સગીર ગત માસે ઘરેથી નીકળી ગયા બાદ પિતાએ અપહરણની ફરિયાદ નોંધાવી હતી બાળક 20 દિવસ બાદ મોરબીના જુના બસ સ્ટેન્ડથી હેમખેમ પરત મળી આવતા પોલીસે બાળકનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.

Advertisement

મોરબીના મકનસર ગામે રહેતા પિતાએ સગીર દીકરાના અપહરણની ફરિયાદ નોંધાવી હતી કે ગત તા. 22 ના રોજ શાળાએથી આવી 12 વર્ષના સગીર પુત્રએ રફાળેશ્વર મેળામાં જવાનું કહ્યું હતું પરંતુ પિતાએ ના કહી હતી અને બાળક પોતાની રીતે મેળામાં ગયો હતો પરત ફરતા પિતાએ ઠપકો આપ્યો હતો જેથી બાળક ઘરેથી નીકળી ગયો હતો અને પરિવારે શોધખોળ કર્યા છતાં બાળકનો પત્તો નહિ લાગતા મોરબી તાલુકા પોલીસમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી મોરબી તાલુકા પોલીસે અપહરણની ફરિયાદ નોંધી બાળકની તપાસ ચલાવી હતી.. પીએસઆઈ ભાનુબેન બગડાની ટીમે બાળકની તપાસ ચલાવી હતી.

જે બાળક મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસેથી મળી આવતા પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ પિતાએ ભણવા બાબતે ઠપકો આપતા ઘરેથી નીકળી ગયો હતો બાળકને ભણવું નથી અને કામ કરવું હતું બાળક મોરબી આવી ગયો હતો અને જુના બસ સ્ટેન્ડ પાસે મચ્છીપીઠ વિસ્તારમાં મજુરી કરી કમાઈ લેતો અને બસ સ્ટેન્ડ પાસે સુઈ જતો હતો બાળક હેમખેમ મળી આવ્યું છે અને પરિવારને સોપતા પરિવારે પોલીસ ટીમનો આભાર વ્યક્ત કર્યો છે.

Tags :
crimegujaratgujarat newsmorbimorbi news
Advertisement
Next Article
Advertisement