For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નવાનાગના ગામમાં વાહન અથડાતાં શખસ પથ્થર ઉપાડી મારવા દોડયો

12:17 PM May 06, 2025 IST | Bhumika
નવાનાગના ગામમાં વાહન અથડાતાં શખસ પથ્થર ઉપાડી મારવા દોડયો

જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં બે વાહનો અથડાયા પછી એક વાહન ચાલક ઉશ્કેરાયો હતો, અને જમીન પરથી મોટો પથ્થર ઉપાડીને અન્ય વાહનચાલક ને મારવા માટે દોડ્યો હતો. જેનો વિડીયો શહેરમાં વાયરલ થયો હતો. પોલીસે તે આરોપીને પકડી લઈ તેની સામે ગુનો નોંધ્યો છે.

Advertisement

આ બનાવની વિગત એવી છે કે જામનગર નજીક નવા નાગના ગામમાં રહેતો ભગવાનજીભાઈ સુરેશભાઈ નકુમ નામનો 26 વર્ષનો યુવાન પોતાનું બાઈક લઈને દિગ્વિજય પ્લોટ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો, જે દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા મહેશ પ્રવીણભાઈ ખાનીયા નામના અન્ય એક શખ્સ સાથે વાહન અથડાવવા બાબતે તકરાર થઈ હતી.

જે તકરાર બાદ મહેશ ખાનિયા ઉસકેરાયો હતો, અને જમીન પર પડેલો એક મોટો પથ્થર ઉચકીને ભગવાનજી નકુમને મારવા માટે દોડ્યો હતો. જે અંગેનો કોઈએ મોબાઇલમાં વિડીયો બનાવી લીધો હતો, અને ગઈકાલે શહેરભરમાં તે વીડિયો વાયરલ થયો હતો. જોકે ભગવાનજીભાઈ ભાગી છુટ્યો હોવાથી બચી ગયો હતો.
પરંતુ આ મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો, અને સિટી એ. ડિવિઝન પોલીસે પથ્થર લઈને હુમલો કરવા આવનાર મહેશ ખાનિયા સામે ભગવાનજીભાઈ નકુમની ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement