ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

જૂનાગઢમાં વન વિભાગના અધિકારીઓના કથિત ત્રાસથી કંટાળી માલધારીનો આપઘાત

11:42 AM Sep 17, 2025 IST | Bhumika
Advertisement

જૂનાગઢના જાંબુથાળા સેટલમેન્ટ ગામમાં વન વિભાગના અધિકારીઓના કથિત ત્રાસથી કંટાળીને સલીમભાઈ બ્લોચ નામના આધેડે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે. આ ઘટના વન વિભાગની ઓફિસમાં જ બની હતી. સલીમભાઈ બ્લોચને ઢોર ચરાવવા બાબતે વન વિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી, જેનાથી તેઓ ભારે માનસિક તણાવમાં હતા. વન વિભાગના કડક વલણ અને કથિત હેરાનગતિથી કંટાળીને તેમણે આ આત્મઘાતી પગલું ભર્યું હતું. સારવાર દરમિયાન તેમનું કરુણ મૃત્યુ થયું.

Advertisement

આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોક અને રોષની લાગણી ફેલાઈ છે. આ ઘટના બાદ સલીમભાઈના પરિવારજનો અને સ્થાનિક ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. તેમણે મૃતદેહ સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે અને જ્યાં સુધી મેંદરડાના RFO વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં ન આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાની ના પાડી છે. પરિવારજનોનો આરોપ છે કે વન વિભાગના અધિકારીઓએ તેમને એટલા હદે હેરાન કર્યા હતા કે સલીમભાઈને આવું પગલું ભરવા મજબૂર થવું પડ્યું. આ મામલે યોગ્ય અને કડક કાર્યવાહીની માંગણી સાથે તેઓએ ન્યાય માટે અવાજ ઉઠાવ્યો છે.સલીમભાઈના પરિવારે આ મામલે ઉચ્ચ કક્ષાએ તપાસની માંગણી કરી છે અને RFO સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની અપીલ કરી છે. આ દુર્ઘટનાએ સરકારી વિભાગો દ્વારા સામાન્ય નાગરિકોને થતી હેરાનગતિના પ્રશ્નોને ફરી એકવાર સપાટી પર લાવી દીધા છે. સલીમભાઈના મોતથી તેમના પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે.

આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે કે સરકારી અધિકારીઓ દ્વારા કાયદાનો દુરુપયોગ કરવામાં આવે તો તેના ગંભીર પરિણામો આવી શકે છે. સ્થાનિક પ્રશાસન અને સરકાર આ મામલે તાત્કાલિક અને યોગ્ય પગલાં ભરીને પીડિત પરિવારને ન્યાય આપે તેવી અપેક્ષા છે.

Tags :
crimegujaratgujarat newsJunagadhJunagadh NEWS
Advertisement
Next Article
Advertisement