ભાગેડુ મેહુલ ચોકસીએ ભાવનગરના વેપારીને પણ 128 કરોડનો ચુનો ચોપડયો
દેશની બેંકો લૂંટીને ભાગી ગયેલા મેહુલ ચોકસીની બેલ્જિયમમાં ધરપકડ કરવામાં આવી છે. બેલ્જિયમમાં ધરપકડ બાદ મેહુલ ચોક્સીના ભારત આવવાની શક્યતા વધી ગઈ છે. દરમિયાન, ગુજરાતના મોટા ઝવેરી દિગ્વિજય સિંહ જાડેજા, જેમણે મેહુલ ચોક્સી દેશ છોડીને ગયો તેના ચાર વર્ષ પહેલા એફઆઇઆર નોંધાવી હતી, તેમણે કેટલાક ખુલાસા કર્યા છે. જાડેજાએ આશા વ્યક્ત કરી છે કે પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકાર મેહુલ ચોકસીને ચોક્કસપણે ભારત લાવશે. જાડેજાના મતે, ચોક્સી ભારતીય બેંકો સાથે છેતરપિંડી કરીને ભાગી ગયો એટલું જ નહીં પરંતુ તેણે ઘણા ઉદ્યોગપતિઓ પાસેથી કરોડો રૂૂપિયા પણ લૂંટ્યા હતા. બેલ્જિયમમાં મેહુલ ચોક્સીની ધરપકડ અંગે ગુજરાતના ભાવનગરના રહેવાસી દિગ્વિજય જાડેજાએ કહ્યું કે તેણે ચોક્સીની કંપનીમાં રોકાણ તરીકે 106 કિલો સોનું રાખ્યું હતું અને બીજા 30 કરોડ રૂૂપિયા રોકડા આપ્યા હતા.
આજના સમયમાં જોવામાં આવે તો લગભગ 128 કરોડની છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે આ રકમ મેહુલ ચોકસીને 2010 માં ફ્રેન્ચાઇઝીના નામે આપવામાં આવી હતી. પરંતુ આજ સુધી તેમને ફ્રેન્ચાઇઝી મળી નથી. જાડેજાના મતે, મેહુલ અને નીરવ મોદી દ્વારા કરવામાં આવેલા કૌભાંડની રકમ 11400 કરોડ રૂૂપિયા કરતા અનેક ગણી વધારે છે. જાડેજાએ 2015 માં ચોક્સી વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરી હતી. આ આધારે ગુજરાત હાઈકોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો . તેમણે ચોકસી દ્વારા કરવામાં આવેલા કૌભાંડો વિશે સરકારને ઘણી વાર ચેતવણી આપી હતી, પરંતુ કંઈ થઈ શક્યું નહીં. જાડેજાએ 2018 માં એવો પણ દાવો કર્યો હતો કે તેમની પાસે લગભગ 29 કંપનીઓની યાદી છે જેનો ઉપયોગ ચોકસી કરતો હતો. જાડેજાના મતે, ચોક્સીની વિદેશમાં બધી કંપનીઓ નફામાં ચાલી રહી છે જ્યારે ભારતીય કંપનીઓને ખોટમાં બતાવવામાં આવી રહી છે જેથી કર બચાવી શકાય અને રોકાણકારોને પૈસા ચૂકવવા ન પડે. જાડેજાએ 2016 માં ગુજરાત હાઈકોર્ટમાં એક સોગંદનામું દાખલ કર્યું હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે મેહુલ ચોક્સી પર લગભગ 9872 કરોડ રૂૂપિયા બાકી છે, જેનો ઉલ્લેખ કોર્પોરેટ બાબતોના મંત્રાલયની વેબસાઇટ પર પણ છે. આ કારણે મેહુલ ચોક્સી વિજય માલ્યાની જેમ વિદેશ ભાગી જાય તેવી શક્યતા છે. મેહુલ ચોકસીની પત્નીનો દુબઈના પોશ બુર્જ ખલીફામાં પણ એક ફ્લેટ છે. જો તે વિદેશ ભાગી જાય છે, તો તેની સામેના તમામ કેસ મુલતવી રાખવામાં આવશે.