રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

પ્રથમ નોરતે જ કોઠારિયા સોલવન્ટમાં લૂંટના ઇરાદે ગંજેરીઓનો યુવાન પર હુમલો

05:51 PM Oct 04, 2024 IST | Bhumika
oplus_2097184
Advertisement
Advertisement

રાજકોટમાં નવરાત્રીના પાવન પર્વમાં કોઈ અઘટિત ઘટના ન બને તે માટે પોલીસ સ્ટાફ ખડે પગે રહેશે અને તમામ પ્રકારની તૈયારી સાથે લોકોની સુરક્ષા માટે તૈનાત રહેશે તેવા બણગા ફૂંકતી પોલીસની આબરૂૂના ગંજેરી શખ્સોએ ધજાગરા ઉડાવી દીધાની ઘટના સામે આવી છે. જેમાં કોઠારીયા વિસ્તારમાં ગરબી જોઈને પરત ફરતા યુવકને જાહેરમાં ચલમ ફૂંકતા ત્રણ શખ્સોએ રોકી ખિસ્સા ફંફોળી છરી વડે હુમલો કરી માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાં આવેલા શીતળાધાર પાસે રહેતો વીરબહાદુર હરિભાઈ મહંતો નામનો 36 વર્ષનો પરપ્રાંતિય યુવાન રાત્રીના પોતાના ઘર પાસેથી ગરબી જોઈને ઘરે પરત જતો હતો. ત્યારે સચિન અને તેની સાથેના ત્રણ અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી પગના ભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.પ્રાથમિક પૂછપરછમાં હુમલામાં ઘવાયેલો વીરબહાદુર મહંતો મૂળ બિહારનો વતની છે અને અહીંયા કડીયા કામ કરી પરિવારને આર્થિક મદદ કરે છે. પોતાના ઘર નજીક ગરબી જોઈને પરત ફરી રહ્યો હતો ત્યારે જાહેરમાં રસ્તા ઉપર ચલમ ફૂકતા શખ્સોએ વીરબહાદુર મહંતોને ઉભો રાખી ખિસ્સા ફંફોળી હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement