‘તું તારા સસરા સાથે ઝઘડો કર’ કહી યુવાનને પિતા અને ભાઇએ ધોકાવ્યો
શહેરના સામાકાંઠે પેડક રોડ પર આવેલા બ્રાહ્મણીયા પરામાં રહેતા યુવાનને તેના પિતા અને ભાઇએ ‘તુ તારા સસરા સાથે ઝઘડો કર’ તેમ કહી મારમારતા ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. યુવાન અને તેની બહેનનના સામસામે સગપણ થયું હોય, બહેન તેના સસરા સાથે મિલ્કત બાબતે ઝઘડો કરતી હોય જેથી યુવાનના પિતા અને ભાઇએ તેને સસરા સાથે ઝઘડો કરવાનું કહી મારમાર્યો હતો.
જાણવા મળતી વિગત મુજબ રણછોડનગર પાસે આવેલા બા્રહ્મણીયાપરામાં રહેતા લાલજીભાઇ પોપટભાઇ શીંગાળા (ઉ.વ.46)નામનો યુવાન આજે સવારે તેના ઘરે હતો ત્યારે તેના પિતા પોપટભાઇ અને ભાઇ બાબુએ ઝઘડો કરી ઢીકા પાટુનો મારમારતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં લાલજી અને તેની બહેન જોશનાના સામસામે લગ્ન થયા હતા.
દરમિયાન દોઢ વર્ષ પહેલા જોશનાના પતિ ઉમેશનું હાર્ટએટેક આવતા મોત થયું હોય જે બાદ જોશના તેના સસરા છગનભાઇ દામજીભાઇ લીંબાસીયા સાથે મિલ્કત બાબતે ઝઘડો કરતી હોય જેથી લાલજીના પિતા પોપટભાઇ અને ભાઇ બાબુએ તેને તુ તારા સસરા છગનભાઇ સાથે ઝઘડો કર તેમ કહી મારમાર્યો હોવાનું જાણવા મળ્યું હતુ આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી બીડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઇ વધુ તપાસ હાથ ધરી છે.