For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વડોદરા ગેંગરેપના આરોપીઓના ઘર ઉપર પણ ફરશે દાદાનું બુલડોઝર

03:34 PM Oct 09, 2024 IST | Bhumika
વડોદરા ગેંગરેપના આરોપીઓના ઘર ઉપર પણ ફરશે દાદાનું બુલડોઝર
Advertisement

ત્રણ દિવસમાં પુરાવા રજૂ કરવા તંત્રની તાકીદ, ત્રણેય લુખ્ખાઓનો વિસ્તારમાં પણ ત્રાસ હોવાનું ખુલ્યું

વડોદરાના ભાયલીમાં થયેલ ગેંગરેપ કેસમાં તંત્ર દ્રારા આરોપીના ઘરે બુલડોઝર ફેરવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.મુખ્ય આરોપી મુન્ના વણઝારાના મકાનને નોટિસ લગાવવામાં આવી છે અને દિન ત્રણની અંદર પુરાવા રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે,ત્યારે આ સમગ્ર ઘટનામાં કોર્પોરેટર પણ આરોપીના ઘરે પહોંચ્યા છે.તાંદલજા વિસ્તારમાં આરોપી રહે છે.મુખ્ય 3 આરોપીઓના ઘરે નોટિસ લગાવવામાં આવી છે.

Advertisement

વડોદરાના ભાયલીમાં જે દુષ્કર્મની ઘટના બની તેમાં આરોપીઓની તો સરભરા કરાઈ છે સાથે સાથે તેમના મકાનો પણ તોડી પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે,ઉત્તરપ્રદેશના ત્રણ વિધર્મી આરોપીઓના મકાનો તોડી પાડવામાં આવશે. આ મકાનો ગેરકાયદે હોવાનું પાલિકાની તપાસમાં સામે આવ્યું છે.દાદાનું બુલડોઝર ફેરવીને અન્ય આરોપીઓમાં પણ ઉદાહરણ રૂૂપ દાખલો બેસાડવામાં આવશે જેથી અન્ય કોઈ આવી ભૂલ ના કરે,હાલ ત્રણેય આરોપીઓ પોલીસના રિમાંડ પર છે.

સ્થાનિકોએ પણ આ વાતને સમર્થન આપ્યું છે,સ્થાનિકોનું કહેવું છે કે ત્રણેય આરોપીઓનો ત્રાસ ખૂબ હતા અને હવે અમને શાંતિ મળશે,સ્થાનિકો પણ આ લોકોથી કંટાળી ગયા હોવાની વાત સામે આવી છે.પરંતુ આરોપીઓના ડરના કારણે અત્યારસુધી સ્થાનિકોએ કોઈ ફરિયાદ નોંધાવી ન હતી,અને મકાન તોડવાને લઈ પોલીસ અને તંત્રને સહકાર આપ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement