For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ડિજિટલ એરેસ્ટથી પરેશાન દંપતીની આત્મહત્યા: સુસાઇડ નોટ દ્વારા દેહદાન

05:57 PM Mar 29, 2025 IST | Bhumika
ડિજિટલ એરેસ્ટથી પરેશાન દંપતીની આત્મહત્યા  સુસાઇડ નોટ દ્વારા દેહદાન

Advertisement

કર્ણાટકના બેલાગવીમાં એક ખૂબ જ દર્દનાક કિસ્સો સામે આવ્યો છે. અહીં, સાયબર ઠગ્સ અને ડિજિટલ ધરપકડથી પરેશાન, એક યુગલે આત્મહત્યા કરી. મળતી માહિતી મુજબ, વૃદ્ધ દંપતીની ઉંમર 80 વર્ષથી વધુ હતી. નિવૃત્ત સરકારી કર્મચારી અને તેની પત્ની છેલ્લા ત્રણ મહિનાથી સાયબર ઠગથી પરેશાન હતા. પોલીસનું કહેવું છે કે આવા કેસમાં મોતનો આ પહેલો કિસ્સો છે. 83 વર્ષીય ડિએગો સેન્ટન નાઝરેથ અને તેની પત્ની ફ્લાવિયાના (80 વર્ષ)ના મૃતદેહ બેલાગવીના ખાનપુરમાં તેમના નિવાસસ્થાનમાંથી મળી આવ્યા હતા.

ડિએગોએ સુસાઈડ નોટમાં લખ્યું હતું કે ગુંડાઓએ તેમની પાસેથી પાંચ લાખ રૂૂપિયા લીધા હતા. તેને કોઈ સંતાન પણ નહોતું. તેણે પોલીસને કે પડોશીઓને પણ કોઈ માહિતી આપી ન હતી. ફ્લેવિનાનો મૃતદેહ ઘરની અંદરથી મળ્યો હતો જ્યારે ડિએગોનો મૃતદેહ ઘરની બહાર ગટરમાંથી મળી આવ્યો હતો. બંનેએ ઝેરી ગોળીઓ ખાઈને આત્મહત્યા કરી હોવાનું પોલીસનું કહેવું છે. ગોળીઓ ખાધા પછી, ડિએગોએ તેનું ગળું કાપવાનો પ્રયાસ કર્યો અને પછી પાણીની ટાંકીમાં કૂદી ગયો.ડિએગો મહારાષ્ટ્ર સરકારમાં કર્મચારી હતો. તેણે સુસાઈડ નોટમાં લખ્યું છે કે સુમિત બીરા અને અનિલ યાદવ નામના લોકો જાન્યુઆરીથી તેને હેરાન કરી રહ્યા હતા. તે દિલ્હીનો ટેલિકોમ ઓફિસર બતાવીને કોલ કરતો હતો. તેઓએ ગુનાહિત પ્રવૃતિઓ માટે દંપતીના સીમકાર્ડનો ઉપયોગ પણ શરૂૂ કર્યો હતો. નોટમાં તેણે લખ્યું હતું કે તે ડિજિટલ ધરપકડની ધમકી આપતો હતો. એકવાર તેણે 5 લાખ રૂૂપિયાની છેતરપિંડી કરી હતી અને ફરીથી વધુ પૈસાની માંગણી કરી હતી.

Advertisement

ડિએગોએ નોટમાં એવું પણ લખ્યું હતું કે તેણે ગોવા અને મુંબઈના લોકો પાસેથી લોન અને સોનું લીધું હતું. તેણે કહ્યું હતું કે તે પોતાની મિલકત વેચીને લોનની ચુકવણી કરશે. ડિએગોએ એમ પણ લખ્યું હતું કે તેઓ ઇચ્છે છે કે તેમના મૃત્યુ પછી તેમના શરીરને સંશોધન માટે બેલાગવી ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સને દાન કરવામાં આવે.

--

Advertisement
Tags :
Advertisement
Advertisement