ઓડિશામાં ભાજપ નેતા પર ગોળીઓ વરસાવી હત્યા
11:22 AM Oct 07, 2025 IST
|
Bhumika
Advertisement
સોમવારે રાત્રે બ્રહ્માનગર વિસ્તારમાં તેમના ઘર નજીક અજાણ્યા બદમાશો દ્વારા એક વરિષ્ઠ વકીલ અને ભાજપના સભ્ય પિતાબાશ પાંડા (50) ની ગોળી મારીને હત્યા કરવામાં આવી. પાંડા રાજ્ય બાર કાઉન્સિલના સભ્ય અને આરટીઆઇ કાર્યકર્તા પણ હતા. અહેવાલ મુજબ તે રસ્તાની બાજુમાં ઉભા હતા ત્યારે ઓછામાં ઓછા બે બાઇક સવાર બદમાશોએ તેમના પર નજીકથી ગોળીબાર કર્યો હોવાનો આરોપ છે.
પાંડાને MKCG મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
Advertisement
ગોળીબાર પાછળનું ચોક્કસ કારણ તપાસ હેઠળ છે, એમ પોલીસે જણાવ્યું હતું.
વાણિજ્ય અને પરિવહન મંત્રી બિભૂતિ ભૂષણ જેના અને ઘણા ભાજપના નેતાઓએ MKCG હોસ્પિટલની મુલાકાત લીધી હતી. પોલીસે હત્યારાઓને પકડવા માટે શોધખોળ શરૂૂ કરી છે.
Next Article
Advertisement