For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કરિયાણાની દુકાનની બાજુમાં નોનવેજની કેબિન બનાવવા મામલે બઘડાટી: બે ઘવાયા

04:19 PM Oct 03, 2024 IST | Bhumika
કરિયાણાની દુકાનની બાજુમાં નોનવેજની કેબિન બનાવવા મામલે બઘડાટી  બે ઘવાયા
Advertisement

શાપર-વેરાવળમાં કરિયાણાની દુકાનની બાજુમાં નોનવેજની દુકાન બનાવવા મામલે બે પક્ષ વચ્ચે જાહેરમાં માથાકુટ થઇ હતી અને મારા મારી થતા બે લોકો ઘવાયા હતા. બંનેની સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

બનાવની વિગત મુજબ, શાપર વેરાવળમાં આવેલી સર્વોદય સોસાયટીમાં સમીરભાઇ કાશમભાઇ વિશળ નામના યુવકને ગઇકાલે બપોરે લાલો ભરવાડ, વિજય ભરવાડ અને તેની સાથેના અજાણ્યા શખ્સોએ ધારીયા અને પાઇપ વડે માર મારતા ઘવાયો હતો. પોતે ડ્રાઇવીંગ કરે છે, પોતે મીત્રો સાથે નોનવેજની દુકાન બનાવવા મામલે વાતો કરતો હતો ત્યારે ત્યાં કરિયાણાની દુકાન ધરાવતા શખ્સે તેને માર માર્યો હતો. જ્યારે સામા પક્ષે રાયધન પોપટ ગમારા નામના યુવાનને સમીર, ગધો અને તેની સાથેના શખ્સોએ લોંખડના પાઇપથી બેફામ માર મારતા તેમને ઇજા પહોંચી હતી. રાયધને જણાવ્યુ હતુ કે, પોતાને કરિયાણાની દુકાન છે અને ત્યાં બાજુમાં સમીર નોનવેજની દુકાન નાખવાની વાતો કરતો હોય જેથી બંને પક્ષ વચ્ચે માથાકુટ થઇ હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement