ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

કાલાવડના વિભાણિયા ગામે મંદિરમાં ચોરી કરનાર આરોપી ઝડપાયો

01:17 PM Nov 08, 2025 IST | admin
Advertisement

જામનગર જિલ્લા ના કાલાવડ તાલુકા ના વિભાણીયા ગામ માં મંદિર ની દાનપેટી માંથી રૂૂપિયા 30,000 ના પરચુરણ ની ચોરી કરનાર આરોપી ને પોલીસે ઝડપી પાડ્યો છે. કાલાવડ તાલુકાના વિભાણીયા ગામ ના નાગબાઈ માતાજી ના મંદિરમાં ચોરી થઈ હતી. મંદિર ની દાનપેટીનું તાળુ તોડી રૂૂ.30 હજાર ની રોકડ ઉઠાવી જવામાં આવી હતી.

Advertisement

આ બનાવ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.આથી પોલીસે શરૂૂ કરેલી તપાસમાં મોટા વડાળા ગામનો મિલન ભરતભાઈ ગોંડલીયા નામનો શખ્સ પોલીસ ના હાથે ઝડપાયો છે. તેણે ચોરીની કબૂલાત આપી તેમાંથી ખરીદેલા કપડા, બુટ, રોકડ રકમ વગેરે પોલીસે કબજે કર્યા છે.

આ કામગીરી પીએસઆઈ સી.બી. રાંકજા ના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે કરી હતી. આ શખ્સની પૂછપરછ કરાતા તેણે નાગબાઈ માતાજીના મંદિરમાં ચોરી કર્યાની અને તેમાંથી મળેલા પૈસામાંથી કપડા તથા બુટ ખરીદ્યાની કબૂલાત આપી હતી. પોલીસે રૂૂ.18પ50 રોકડા, બે જોડી કપડા, એક જોડી બુટ, રૂૂ.50 હજારનું એક્ટિવા, રૂૂ.પ હજારનો મોબાઈલ મળી કુલ રૂૂ.79,550નો મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપીની ધરપકડ કરી છે.

Tags :
crimegujaratgujarat newsKalavadKalavad news
Advertisement
Next Article
Advertisement