ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

જામજોધપુરમાં શ્રમિક મહિલાનની હત્યા નિપજાવનાર આરોપી પતિ ઝડપાયો

01:43 PM Nov 27, 2025 IST | Bhumika
Advertisement

જામનગર જિલ્લાના જામજોધપુરમાં માર્કેટિંગ યાર્ડ વિસ્તારમાં ગઈકાલે સવારે ચારિત્ર્ય ની શંકાના કારણે એક પર પ્રાંતીય શ્રમિક મહિલા પર તેણીના જ પતિએ પથ્થર વડે હુમલો કરી હત્યા નીપજાવી હતી, જે આરોપી પોલીસના હાથમાં આવી ગયો છે. પત્નીના અન્ય પુરુષ સાથેના આનૈતિક સંબંધોના કારણે આ હત્યા કર્યાં ની કબુલાત આપી છે. આ હત્યાના બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના જામજોધપુરમાં માર્કેટિંગ યાર્ડ માં શ્રમિકોની મજૂરોની વસાહતમાં એક ઝૂંપડીમાં રહેતી ગુલીબેન નારિયાભાઈ બામણીયા નામની 25 વર્ષની પરપ્રાંતીય શ્રમિક મહિલા ઉપર ચારિત્ર્ય ની શંકા ના આધારે તેણીના પતિએ ઉશ્કેરટમાં આવી જઈ ધારદાર પથ્થરનો ઘા માથામાં ઝીંકી દઇ હત્યા નિપજાવી હતી.

Advertisement

અને આરોપી ભાગી છૂટ્યો હતો. જે મામલામાં જામજોધપુર પોલીસે હત્યા અંગેની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો, અને કોમ્બિંગ હાથ ધરી, હત્યારા આરોપીને ઝડપી લીધો છે. અને પોલીસ લોકપમાં બેસાડી દીધો છે. જેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન પોતાની પત્નીને અન્ય પુરુષ સાથે અનૈતિક સંબંધો છે, તેવી શંકા વહેમના કારણે તેની હત્યા કરી નાખ્યાની કબુલાત આપી છે. જે મામલામાં પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

Tags :
crimegujaratgujarat newsJamjodhpurJamjodhpur newsmurder
Advertisement
Next Article
Advertisement