ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

બોરમાંથી પાણી ભરતા પાડોશી પરિવાર પાસે લાઇટ બિલના રૂપિયા માગતા પરિણીતા ઉપર હુમલો

06:09 PM Nov 23, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement
Advertisement

શહેરમાં જામનગર રોડ ઉપર મનહરપુર-1માં બોરમાંથી પાણી ભરતા પાડોશી પરિવાર પાસે લાઈટ બિલના રૂૂપિયા માંગતા પરિણીતા ઉપર મહિલા સહિતના ત્રણ શખ્સોએ હુમલો કરી માર માર્યો હતો. પરિણીતાને સારવાર માટે ખસેડવામાં આવી હતી.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જામનગર રોડ ઉપર મનહરપુર-1માં રહેતા રંજનબેન અરવિંદભાઈ પરમાર નામની 35 વર્ષની પરિણીતા સાંજના ચારેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતી. ત્યારે પાડોશમાં રહેતી આશાબેન તેની પુત્રી જાનવીબેન અને પુત્ર સાહિલ નામના શખ્સોએ પથ્થરમારો કરી પછાડી દીધા હતા. પરિણીતાને ઇજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરતા યુનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પ્રાથમિક પૂછપરછમાં મનહરપુરમાં રહેતા રંજનબેન પરમારના લતામાં પાણી આવતું ન હોવાથી હુમલાખોર આશાબેનનો પરિવાર રંજનબેન પરમારના ઘરે બોરમાંથી પાણી ભરતા હતા જે પાણી ભરવાના લાઈટ બિલના પૈસાની માંગણી કરતા આશાબેને પુત્રી અને પુત્ર સાથે મળી રંજનબેન પરમારને માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ અંગે યુનિવર્સિટી પોલોસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Advertisement