ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ગઢડા(સ્વામી)ના સખપર ગામે યુવકના આપઘાત અંગે છ સામે ગુનો નોંધાયો

11:38 AM Aug 19, 2025 IST | Bhumika
Advertisement

ગઢડા તાલુકાના નાના સખપર ગામમાં વ્યાજખોરોના ત્રાસથી એક યુવકે આપઘાત કર્યો છે. 35 વર્ષીય નાગજીભાઈ લખમણભાઈ ડેરવાળીયાએ 26 જૂન 2025ના રોજ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટનામાં મૃતકની પત્નીએ છ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

Advertisement

મૃતક નાગજીભાઈ ઉગામેડી ગામે ભાવેશભાઈ વશરામભાઈ કળથીયાના કારખાનામાં કમિશન આધારિત કામ કરતા હતા. કારખાનાના માલિક ભાવેશભાઈ કારીગરોનો પગાર ચૂકવતા ન હતા અને સતત ત્રાસ આપતા હતા. મૃતકે અન્ય ચાર વ્યક્તિઓ પાસેથી 5થી 10 ટકા વ્યાજે નાણાં લીધા હતા. આ વ્યાજખોરો પણ તેમને સતત હેરાન કરતા હતા. આ બધા કારણોસર નાગજીભાઈ માનસિક તણાવમાં હતા.

મૃતકના મોબાઈલમાંથી મળેલા વોટ્સએપ મેસેજના આધારે તેમની પત્ની આશાબેન નાગજીભાઈ ડેરવાળીયાએ ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ભાવેશ વશરામ કળથીયા, જયેશ ગોલાણી, દેવકરણ હનુ મારૂૂ, કાળુ ગોવાળિયા, શૈલેન્દ્રસિંહ ડોડીયા અને પરબતભાઈ વઢેળ સામે આજીવન કારાવાસની જોગવાઈ વાળી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

Tags :
crimeGadhadaGadhada NEWSgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement