રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ઇન્સ્ટાગ્રામ પર બ્રહ્મસમાજ વિશે અપમાન જનક શબ્દો બોલનાર શખ્સ સામે નોંધાતો ગુનો

04:07 PM Aug 14, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ઇન્સ્ટાગ્રામ પર બ્રહ્મસમાજ વિશે અપમાનજનક શબ્દો બોલનાર શખસ સામે સમાજના અગ્રણી દ્વારા માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આ ફરિયાદના આધારે ગુનો નોંધી જરૂૂરી કાર્યવાહી કરી હતી.

મળતી વિગતો મુજબ,શહેરના માયાણીનગર શેરી નં.3 ચંદ્રેશનગર મેઇન રોડ પર રહેતા ચિંતનભાઈ મુકેશભાઈ વ્યાસ 28 દ્વારા માલવયા નગર પોલીસ સ્ટેશનમાંનોંધાવવામાં આવેલી ફરિયાદમાંનોંધવામાં આવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે ગીરીરાજસિંહ વાળા નું નામ આપ્યું છે.

ફરિયાદમાં જણાવ્યું હતું કે તેને ગુરૂૂપ્રસાદ ચોકમાં ઓફિસ આવેલી હોય અને તેઓ બ્રહ્મસમાજ અગ્રણી છે.
ગઇકાલે તે પોતાની ઓફિસ પર હતા ત્યારે બપોરના સમયે સમાજના અન્ય આગેવાન કસ્યપભાઇ ભટ્ટનો કોલ આવ્યો હતો.અને કહ્યું હતું કે સોશિયલ મીડિયા પર કોઇ આપણા સમાજ વિશે એલફેલ બોલે છે. જેથી ફરિયાદીએ કહ્યું હતું કે હું જોઇ લઉ છું.બાદમાં તેમણે સોશિયલ મીડિયા પર ઇન્સ્ટાગ્રામમાં જોતા એક સ્ટોરી મૂકી હોય જે એમઆર-અભીજીત.999 સ્ટોરી હતી.જેમાં બ્રહ્મસમાજ વિશે અપમાનજન વાત કહી હતી.લાઇવ પેજ પર જોતા ગીરીરાજસિંહ વાળા ઇન્સ્ટાગ્રામ પેજ પર એકાઉન્ટ જોવા મળ્યું હતું.

જેથી આ એકાઉન્ટ ગીરીરાજસિંહ વાળાનું હોવાનું માલુમ પડતા આ ફરિયાદ નોંધાવી છે. આ અંગે માલવીયાનગર પોલીસે આરોપી સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

Tags :
crimegujaratgujarat newsrajkot news
Advertisement
Next Article
Advertisement