ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

તડીપારીનો ભંગ કરનાર 4 મહિલા સહિત 8 ઝડપાયા, બે શખ્સો પાસામાં

03:25 PM May 10, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા પોલીસ કમિશનરના આદેશને પગલે પોલીસ એલર્ટ

Advertisement

રાજકોટ શહેર અને જિલ્લામાં તડીપાર કરાયેલા કેટલાક ગુનેગારો પરવાનગી વગર રાજકોટ શહેરમાં રહેતા હોવાની બાતમીના આધારે પીસીબીએ સ્પેશ્યલ ડ્રાઈવ કરી તડીપારીનો ભંગ કરનાર ચાર મહિલા સહિત 8ની ધરપકડ કરી હતી. જ્યારે બે શખ્સોને પાસા હેઠળ ધકેલી દેવામાં આવ્યા છે.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાની સુચનાથી શહેરમાં બેફામ બનેલા ગુનેગારોને અંકુશમાં લેવા માટે ક્રાઈમ બ્રાંચ અને પીસીબીની ટીમ કાર્યવાહી કરી રહી છે ત્યારે અલગ અલગ ગુનામાં રાજકોટ શહેર અને જિલ્લામાંથી હદપાર કરેલા કેટલાક ગુનેગારો રાજકોટ શહેરમાં મંજુરી વગર પ્રવેશ્યા હોવાની માહિતીના આધારે સ્પેશિયલ ડ્રાઈવ કરવામાં આવી હતી. જેમાં આજીડેમ પોલીસ મથક વિસ્તારમાંથી સ્વાતિપાર્ક મેઈન રોડ ઉપર રહેતી હંસાબેન રામજીભાઈ વાઘેલા, હુડકો ચોકડી પાસે રહેતી જયશ્રીબેન અમરસિંહભાઈ સોલંકીની ધરપકડ કરાઈ હતી. જ્યારે પ્રનગર પોલીસ વિસ્તારમાં સંતોષીનગર પાસે રહેતા અશ્ર્વિન ધીરૂ સીતાપરા, બી ડીવીઝન પોલીસ વિસ્તારમાંથી માર્કેટીંગ યાર્ડ પાસે ભગીરથ સોસાયટીમાં રહેતા રામજી ખેંગાર મુંઘવા, યુનિવર્સિટી પોલીસ મથકમાં રૈયાધાર મફતિયાપરામાં રહેતી વસંતબેન બાબુભાઈ વાજેલિયા, માલવિયાનગર પોલીસ મથક વિસ્તારમાંથી ગોંડલ રોડ આંબેડકર નગરમાં રહેતી ભાનુબેન ભુપેન્દ્ર ચાવડા, ભક્તિનગર પોલીસ વિસ્તારના સોરઠિયાવાડી સર્કલ પાસે રહેતા અલ્પેશ બચુ રાઠોડ અને રણછોડ ઓઘડ ચુડાસમાની ધરપકડ કરવામાં આવી હતી.

ઉપરાંત ક્રાીમ બ્રાંચની ટીમે રાજકોટ, મોરબીના અલગ અલગ ચોરીના ગુનામાં સંડોવાયેલા લીંબડાચોક પાસે રહેતા રાહુલ ઉર્ફે ટકો અશોકભાઈ વીકાણી,ને પાસા હેઠળ વડોદરા જેલ હવો મોકલી આપ્યો હતો. ઉપરાંત રાજકોટમાં 50થી વધારે ફોરવ્હીલ ભાડે મેળવી બારોબાર વેચી નાખનાર અને જેની સામે પાંચથી વધુ ગુના નોંધાયેલા છે. તેવા જામનગરના બિલાલ શાહ હસનશા સામદારને પાસા હેઠળ ભાવનગર જેલ હવાલે ધકેલી દેવામાં આવ્યો હતો.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા તથા ડીસીપી ક્રાઈમ ડો. પાર્થરાજસિંહ ગોહિલની સુચના તેમજ એસીપી ક્રાઈમ ભરત બી બસિયાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એમ.આર. ગોંડલિયા, એમ.એલ. ડામોર, સી.એચ. જાદવ, પીસીબીના પીઆઈ એમ.જે. હુણ અને તેમની ટીમે કામગીરી કરી હતી.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Advertisement