રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

લીકર કૌભાંડમાં ફસાયેલા મુખ્યમંત્રી કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી મળ્યા વચગાળાના જામીન, પણ રહેવું પડશે જેલમાં

11:02 AM Jul 12, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા છે. જસ્ટિસ સંજીવ ખન્નાના નેતૃત્વમાં ત્રણ જજોની બેન્ચે આ નિર્ણય આપ્યો છે. પરંતુ કેજરીવાલ જેલમાં રહેશે કારણ કે સુપ્રીમ કોર્ટે EDના કેસમાં જામીન આપ્યા છે. આ સાથે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જ્યાં સુધી મોટી બેન્ચ આ મામલે સુનાવણી કરશે ત્યાં સુધી તેમના જામીન ચાલુ રહેશે.

સુપ્રીમકોર્ટે કેજરીવાલના કેસ પર સુનાવણી હાથ ધરતાં કહ્યું હતું કે હવે આ મામલે 3 જજોની બેન્ચ બનાવવામાં આવશે જે કેજરીવાલના કેસ પર સુનાવણી કરશે. આ સાથે એ પણ જણાવાયું કે સુપ્રીમકોર્ટના આ ત્રણ જજોના નામ ખુદ સીજેઆઈ કરશે.

કેજરીવાલના વકીલ વિવેદ જૈને જણાવ્યું કે CBI કેસમાં 18 જુલાઇએ દિલ્હી હાઇકોર્ટમાં સુનાવણી છે. આ કેસમાં ચુકાદો આવ્યા બાદ જ ખબર પડશે કે શું કેજરીવાલ જેલમાં જ રહેશે કે પછી બહાર આવશે? જોકે, કેજરીવાલના જેલમાંથી બહાર આવવાની શક્યતા વધુ પ્રબળ છે.

Tags :
arvind kejriwalDelhi Liquor Policy CaseEDindiaindia newsLegal NewsSupreme Court
Advertisement
Next Article
Advertisement