શહેર જિલ્લા ભાજપ દ્વારા કોંગ્રેસના સામ પિત્રોડા સામે વિરોધ પ્રદર્શન કરી પૂતળા દહન કરાયું
12:34 PM May 10, 2024 IST | Bhumika
Advertisement
જામનગર શહેર જિલ્લા ભાજપ દ્વારા વિદેશી ની ધરતી પરથી કોંગ્રેસના અગ્રણી દ્વારા કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનનો વિરોધ કરવામાં આવ્યો હતો, અને શામ પિત્રોડા ના પૂતળાનું જાહેરમાં દહન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ નાં સામ પિત્રોડા નાં શરમ જનક નિવેદન સામે આજે જામનગર મા ભાજપ દ્વારા સામ પિત્રોડા નાં પૂતળાં નું દહન કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જિલ્લા ભાજપ કાર્યાલય અટલ ભવન પાસે પૂતળાં દહન કરી હાય હાય નાં નારા લગાવા મા આવ્યા હતા. જેમાં ભાજપ નાં શહેર પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, જિલ્લા પ્રમુખ રમેશભાઈ મૂંગરા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, મેયર વિનોદભાઈ ખીમસુર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક જૂથ ના નેતા આશિષ જોષી, દંડક કેતન નાખવા સહિતના ભાજપ ના આગેવાન, કાર્યકરો જોડાયા હતા.
Advertisement
Advertisement