સોમનાથ મંદિરના પૂજારીના ઘરમાંથી રોકડ-દાગીનાની ચોરી
12:35 PM Jun 11, 2024 IST | Bhumika
Advertisement
પ્રભાસ પાટણમાં ગત રાત્રે વેણેશ્વર મંદિર પાસે આવેલ બે બંધ મકાનના તાળા કોઇ તસ્કરોએ તોડી રોકડ રકમ અને સોનાના ઘરેણાની ચોરી થયેલ હોવાનું જાણવા મળેલ છે.આ અંગે પ્રાપ્ત માહીતી મુજબ સોમનાથ સોસાયટીમાં રહેતા સોમનાથ મંદિરના પૂજારી દીપકભાઈ ત્રીવેદી બહાર ગામ હોય તેના બંધ મકાનનું તાળું તુટેલ હોય તેને અમદાવાદ ખાતે હોય ત્યા જાણ કરેલ છે. જે આવ્યા બાદ ચોરી અંગેની વિગતો જાણવા મળી શકે તેમ છે ત્યારે દિપકભાઈના ઘરની સામે રહેતા હીરાબેન સોલંકીના બંધ મકાનમાં તાળા તોડી ચોરી થયેલ છે. જેમાં સોનાના બે બુટીયા બે સોનાના પાટલા બે સોનાના દાણા સોનાનો સિક્કો અને રોકડ રૂપિયાની ચોરી થયેલ હોવાનું હીરાબેન પરસોત્તમભાઈ સોલંકીએ જણાવેલ છે.
Advertisement
Advertisement