રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

શું તમે IPOથી કમાણી કરો છો ? તો આ સમાચાર તમારા માટે છે મહત્વના, અહીં જાણો સમગ્ર ગણિત

10:53 AM Dec 25, 2023 IST | Sejal barot
Advertisement

આ વર્ષે શેરબજારોમાં ચાલી રહેલી તેજીનો રોકાણકારોએ ભરપૂર લાભ લીધો છે. તેઓએ ઇનિશિયલ પબ્લિક ઑફરિંગ્સ (આઇપીઓ)માં રોકાણ કરીને જંગી નફો કર્યો છે. Tata Technologies એ લિસ્ટિંગ પર રોકાણકારોને 140 થી 180% નફો આપ્યો અને IREDA એ 100% સુધીનો નફો આપ્યો. આ લાભોને રોકડ કરવા માટે, મોટી સંખ્યામાં રોકાણકારોએ લિસ્ટિંગના દિવસે અથવા થોડા દિવસો પછી નફામાં તેમના શેર વેચ્યા હશે.

Advertisement

ટેક્સ નિષ્ણાતોનું કહેવું છે કે, જો તમે લિસ્ટિંગના દિવસે અથવા તેના થોડા દિવસો પછી નફો કમાયા પછી શેર વેચો છો, તો તેના પર ટેક્સ આપવો પડે છે. IPOમાં મળેલા શેરના વેચાણ પર કોઈપણ લિસ્ટેડ શેરની આવકની જેમ જ ટેક્સ લાદવામાં આવે છે.

જો એક વર્ષમાં વેચાણ કરો તો 15% ટેક્સ

જો તમે લિસ્ટિંગના 12 મહિનામાં એટલે કે, લિસ્ટિંગના એક વર્ષની અંદર IPOમાં ફાળવેલ શેર વેચીને નફો મેળવો છો, તો તમારે શોર્ટ ટર્મ કેપિટલ ગેન્સ (STCG) ટેક્સ ચૂકવવો પડશે. આ કુલ નફાના 15 % હશે. તેના પર 4 % શેષ રકમ પણ ચૂકવવી પડશે. ત્યારે IPOના લિસ્ટિંગના 12 મહિના પછી શેર વેચીને નફો મેળવવાના કિસ્સામાં, 10 % લોંગ ટર્મ કેપિટલ ગેન્સ (LTCG) ટેક્સ ચૂકવવો પડશે. LTCG ટેક્સ 1 લાખ રૂપિયાથી વધુના નફા પર જ લાગુ થાય છે.

આ રીતે સમજો સંપૂર્ણ ગણિત

તમે IPOમાં રૂ. 600ના ભાવે 25 શેર ખરીદ્યા. તેને એક વર્ષમાં રૂ. 1,000 પ્રતિ શેરના ભાવે વેચી દીધા. આમ, તમને રૂ. 10,000 નો કુલ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન મળે છે. હવે તમારે આ કમાણી પર 15 %ના દરે ટેક્સ ચૂકવવો પડશે, જે 1,500 રૂપિયા થાય છે. આ સિવાય ચાર % શેષ એટલે કે 60 રૂપિયા પણ ચૂકવવા પડશે. આ રીતે, તમારે ટેક્સ તરીકે કુલ 1,560 રૂપિયા ચૂકવવા પડશે. જો તમે એક વર્ષ પછી સમાન ભાવે શેર વેચો છો, તો તમારે કુલ નફા પર 10 %ના દરે લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ ચૂકવવો પડશે, જે 1,000 રૂપિયા થાય છે.

કરી શકો છો નુકસાનની ભરપાઈ

જો IPOના લિસ્ટિંગ પછી શેરની કિંમત ખરીદ કિંમત કરતાં નીચે આવી જાય, તો આ નુકસાન અન્ય શેરોમાંથી થયેલા નફા સામે એડજસ્ટ કરી શકાય છે. જો ટૂંકા ગાળામાં વેચાયેલા શેરમાં નુકસાન થાય છે, તો તે એક વર્ષ પહેલાં સમાન સમયગાળામાં વેચાયેલા અન્ય શેરના નફા સામે એડજસ્ટ કરીને ટેક્સ હેતુઓ માટે વળતર મેળવી શકાય છે. જો કે, આવકવેરા વિભાગ લાંબા ગાળાના મૂડી લાભની ભરપાઈ કરવાની મંજૂરી આપતું નથી.

કરવેરા અને રોકાણ સલાહકાર બળવંત જૈને જણાવ્યું હતું કે, IPOના નફા પર લિસ્ટેડ શેરની આવક જેટલો જ ટેક્સ લાગે છે. શેરનો હોલ્ડિંગ સમયગાળો શેરની ફાળવણીની તારીખથી શરૂ થશે અને રોકાણની તારીખથી નહીં. આનો અર્થ એ છે કે, IPOમાં શેરની ફાળવણીની તારીખથી નફા પર ટેક્સની ગણતરી કરવામાં આવશે.

Tags :
Businessindiaipotax
Advertisement
Next Article
Advertisement