For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બગસરાના જૂના વાઘણિયામાં હત્યાની શંકાએ દફનવિધિ કરેલ મહિલાનો મૃતદેહ બહાર કઢાયો

11:36 AM Jun 06, 2024 IST | admin
બગસરાના જૂના વાઘણિયામાં હત્યાની શંકાએ દફનવિધિ કરેલ મહિલાનો મૃતદેહ બહાર કઢાયો
Advertisement

મૃતકની માતાએ કરેલી ફરિયાદ બાદ મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ભાવનગર ખસેડાયો

બગસરા ના જૂના વાઘણીયા ગામે એક અલગ પ્રકારની ઘટના બની હતી જેમાં એક મહિલા ને ત્રણ વ્યક્તિ ઓ દ્વારા મહિલા ને ગળું દબાવી મારી નાખવામાં આવી હોવાની સંકા ના આધારે બગસરા પોલિશ સ્ટેશન માં ફરિયાદ કરેલ છે કે મારી દીકરી એ દવા નથી પીધી તેને ગળું દબાવી મારી નાખવામાં આવેલ છે અને તેના મૃત દેહ ને દફન વિધિ વગર પી એમ એ કરિયા વિના કરી દેવામાં આવેલ છે તો તેના મૃત દેહ ને પી એમ કરવામાં આવે કે મારી દીકરી ક્યારેય દવા ના પીવે. તેને મારી નાખવામાં આવેલ છે.

Advertisement

વિગત અનુસાર કુંવરબેન પાલાભાઇ સોંદરવા દ્વારા તેમની દીકરી જ્યોત્સનાબેન મૂળજીભાઈ પરમાર ઉંમર વર્ષ 42 જેવો જૂના વાઘણીયા ગામના વતની છે તેમના માતા કુંવરબેન દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવી કે મારી દીકરી જ્યોત્સનાબેન તારીખ ત્રણ ના રોજ મૃત્યુ પામેલ છે.

જ્યારે તેમની દફનવિધિ પણ કરેલ છે પરંતુ મને શંકા છે કે મારી દીકરીને ગળું દબાવીને મારી નાખવામાં આવેલ છે જ્યારે હકીકતમાં તેમના દ્વારા કરવામાં આવેલ છે કે મારી દીકરી એ ઝેરી દવા પીને આપઘાત કરેલ છે પરંતુ તેમના પતિ મૂળજીભાઈ ભીમજીભાઈ પરમાર તેમના સંતાન પિયુષભાઈ મૂળજીભાઈ પરમાર તથા તેમના પત્ની ભાનુબેન પિયુષભાઈ પરમાર આ ત્રણેય મળી મારી દીકરી જ્યોત્સનાબેન ને ગળું દબાવી મારી નાખવામાં આવી છે તેમણે દવા પીધી નથી તેવી મને સંકા છે તેવી પોલિશ સ્ટેશન માં જાણ કરવામાં આવી છે કે મારી દીકરી ના મૃત દેહ ને બહાર કાઢી પીએમ કરવામાં આવે તો સાચી હકીકત બહાર આવે જ્યારે આ બાબતે બગસરા પોલિશ દ્વારા આ મૃત દેહ ને બહાર કાઢી પ્રથમ બગસરા ત્યાર બાદ ભાવનગર ખાતે ફોરેન્સિક માં મોકલવામાં આવેલ છે ત્યાર બાદ સાચી હકીકત બહાર આવે તેવી પોલિશ સ્ટેશન દ્વારા કહેવામાં આવેલ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement