For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બગસરાના સ્વામિનારાયણ મંદિરમાં બાળકોના કરાતા બ્રેન વોશ

11:42 AM Jun 12, 2024 IST | Bhumika
બગસરાના સ્વામિનારાયણ મંદિરમાં બાળકોના કરાતા બ્રેન વોશ
Advertisement

બાળકની મતિ ફેરવી પરિવાર વિરૂદ્ધ ઉશ્કેર્યો, સાધુ બનાવવાના ઇરાદે ભગાડી દીધાના આક્ષેપ સાથે પોલીસમાં અરજી થતા ભારે ખળભળાટ

Advertisement

બગસરા શહેર માં હાલમાં નવ નિર્માણ પામેલું સ્વામી મંદિર જે પહેલી થી વિવાદ સાથે સપડાયેલું રહ્યું છે ત્યારે આજે ફરી આ સ્વામી મંદિર નો વિવાદ સામે આવ્યો હતો જ્યારે આ વિવાદ થી હરી ભક્તો પણ નારાજ થયા છે .
વિગત અનુસાર બગસરા શહેર માં સ્વામી નારાયણ મંદિર માં બાળકો ની શિબિરો ચાલતી હોય છે અને અનેક પ્રકારની કથા અને ભજનો ચાલતા હોય છે ત્યારે એવા માં સ્વામિનારાયણ મંદિર ના બે ચૈતન્યસ્વામી તેમજ સદગુણસ્વામી સંતો દ્વારા બાળકો નો બ્રેન વોશ કરી સાધુ બનાવવા માટે ઉશ્કેરવામાં આવતા હતા અને બાળકો ને એવા પાઠ ભણાવવામાં આવતા હતા કે તમારા માતા પિતા એ તમારા માતા પિતા છે જ નહિ તમારું આ દુનિયા માં સ્વામિનારાયણ સિવાય કોય છે જ નહિ આવા ઉદ્દેશ થી આ બંને સાધુ ઓ દ્વારા બાળકો ની મતી ફેરવવા નું કારસ્તાન સામે આવ્યું છે ત્યારે એક બાળક જે ધુવિલ રસિકભાઈ કટેશિયા ઉંમર વર્ષ 17 ને બગસરા મંદિર માંથી ભગાડી દેવામાં આવ્યો હતો ત્યારે તે બાળક ના માતા પિતા રસિકભાઈ દ્વારા સ્વામી મંદિરે જઈ અનેક આજીજી કરી હતી પરંતુ આ બાળક નો પતો ના આપ્યો હતો છેવટે બાળકના પિતા દ્વારા કોય ના મારફત પતો લગતા બાળક ને લાવવામાં આવેલ હતો પરંતુ આ બાળક ને સ્વામી નારાયણ મંદિર ના બે સંતો દ્વારા અનેક ફોન કરવામાં આવે છે અને આ બાળક ને ફોન પણ આપવામાં આવ્યો છે અને ફોન દ્વારા તું અહિયાં થી ફરી ભાગી જા જેવા ઉશ્કેરણી જનક ફોન અને મેસેજ કરી રહ્યા છે અને તું જ્યાં જા ત્યાંથી કેજે હું તને રૂૂપિયા મોકલી આપીશ જ્યારે આ બાળક ના પિતા દ્વારા બે બે વાર ભાગી જતાં બાળક ને બચાવિયો હતો અને તેમની પાસે થી મોબાઈલ જપ્ત પણ કરેલ હતો આ મોબાઇલ માં રૂૂપિયા સાથે સ્વામી નું કોલ રેકોર્ડિંગ પણ સામે આવ્યું છે ત્યારે આજે સાંજે તમામ હરી ભક્તો તેમજ આ બાળક ના પિતા અને પરિવાર જનો સાથે મળીને સ્વામી મંદિર ખાતે પહોંચી ગયા હતા અને સ્વામી મંદિર ના ગુરુ ને આ બાબતે વાત કરી હતી ત્યારે ગુરુ લક્ષ્મિપ્રસાદ દ્વારા કહેવામાં આવ્યું કે અમો જવાબદારી લઈએ છીએ કે હવે પછી સ્વામિનારાયણ મંદિર દ્વારા કોઈપણ સંત નો ફોન નહીં આવે તેવી બાંહેધરી આપી હતી પરંતુ આ પરિવારના સભ્યો દ્વારા કહેવામાં આવ્યું કે આ બંને સંતોને આ મંદિરમાંથી હકાલ પટ્ટી કરો જેથી કરીને કોઈ બીજા બાળકોને બ્રેઇન વોશ ના કરે પરંતુ આ મંદિરના ગુરુ લક્ષ્મીપ્રસાદ દ્વારા કોઈપણ જવાબ આપ્યા વગર ત્યાંથી નાસી ગયેલ હતા જ્યારે આ બાબતે તમામ હરિભક્તોમાં નારાજગી જોવા મળી હતી. જ્યારે બગસરા પોલિશ સ્ટેશન ખાતે પણ આ બાળકના પરિવાર દ્વારા તા 9/4 ના જાણવા જોગ અરજી પણ કરવામાં આવી હતી જ્યારે આ બનાવના પગલે આ પરિવાર ના સભ્યો ની રાતની નીંદર પણ ઉડી ગય છે
જ્યારે લોકો દ્વારા કહેવામાં આવે છે કે સ્વામિનારાયણ મંદિર દ્વારા આવું કૃત્ય કરવામાં આવે તો સ્વામી મંદિરે કોઈપણ બાળકને મોકલતા અચકાવવું પડે છે તો આ બંને સાધુઓને અહીંયાથી હકાલ પટ્ટી કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી છે આવા આ બંને સાધુ દ્વારા આવા હિન કૃત્ય વિરૂૂધ્ધ સ્વામીનાયારણ સંપ્રદાય ને ધબ્બો લાગી ગયો છે તો તત્કાલ આવા સાધુ ને અહીયા થી હાકલ પટ્ટી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement