For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સલમાન ખાનને માફી આપશે બિશ્ર્નોઈ સમાજ?

12:43 PM May 14, 2024 IST | Bhumika
સલમાન ખાનને માફી આપશે બિશ્ર્નોઈ સમાજ
Advertisement

બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાન છેલ્લા થોડા સમયથી પોતાના ઘર ગેલેક્સી અપાર્ટમેન્ટની બહાર થયેલી ફાયરિંગના કારણે ચર્ચામાં છે. આ કેસમાં મોટાભાગે નવા નવા વળાંક આવતા રહે છે. જ્યાં એક તરફ મામલામાં પોલીસ પોતાની તપાસ કરી રહી છે ત્યાં જ બીજી તરફ સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલી દ્વારા બિશ્નોઈ સમાજ પાસે માફી માંગવા બાદ મામલામાં એક મોટો વળાંક આવ્યો છે.

બિશ્નોઈ સમાજે સોમી એલીની માફીને ઠુકરાવી દીધી છે. પરંતુ તેની સાથે જ સલમાન ખાનને એક તક આપી છે. ભારતીય બિશ્નોઈ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ દેવેન્દ્ર બુડિયાએ કહ્યું છે કે જો 27 વર્ષ જુના આ કેસમાં સલમાન ખાન તે સ્થાન પર જઈને માફી માંગી લે તો વાત બની શકે છે. આ સમાજના મુખીયા એક બીજા સાથે બેસીને તેના પર કોઈ નિર્ણય લઈ શકે છે.

Advertisement

એવું કહેવામાં આવી રહ્યું છે કે જો સલમાન ખાન આવીને પોતાની ભુલ કબુલી લે તો તો તેમને માફ કરી દેવામાં આવશે. બિશ્નોઈ સમાજના 29 નિયમોમાંથી 10માં નંબરના નિયમમાં મોફીની જોગવાઈ છે. તેના અનુસાર જો સલમાન ખાન બિશ્નોઈ સમાજના હિસાબથી આવું કરે છે તો તેમને હંમેશા માટે માફ કરી દેવામાં આવશે. જણાવી દઈએ કે લોરેન્સ બિશ્નોઈએ એક ઈન્ટરવ્યૂમાં આ વાત કહી હતી કે જો સલમાન ખાને બિશ્નોઈ સમાજના મંદિરમાં આવીને માફી માંગી લીધી તો તેમને માફ કરી દેવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement