રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ભાવનગરમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવાને જીવન ટૂંકાવ્યું

12:31 PM Dec 14, 2023 IST | Sejal barot
Advertisement

ભાવનગર માં વ્યાજખોરના ત્રાસથી કંટાળી યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત વહોરી લીધાનો બનાવ બનવા બનવા પામ્યો છે.
માહિતી મુજબ ભાવનગર શહેરના તિલકનગર ચારભાઇ બીડી વાળા ખાંચા નજીક રહેતા નરેશભાઇ દેવજીભાઇ ચૌહાણ ઉ.વ.37 એ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત વ્હોરી લેતા યુવકને ગંભીર હાલતે સર.ટી. હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા જ્યાં તબીબે યુવકને મૃત જાહેર કરતા પરિવારમાં ભારે શોક છવાઇ જવા પામ્યો હતો. મૃતકના ભાઇ સંજયભાઇ નાં જણાવાયા મુજબ નરેશભાઇ બે - ત્રણ દિવસથી તણાવમાં રહેતા હતા અને અમને પણ બે - ત્રણ દિવસ પહેલા જ નરેશભાઇને કોઇ વ્યાજખોર પઠાણી ઉઘરાણી કરી માનસિક ત્રાસ આપતો હોવાનું જણાવ્યું હતું.
જે બાદ તણાવમાં રહેતા નરેશભાઇએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પરંતુ અમને આગામી દિવસોમાં બે થી ત્રણ વ્યાજખોર કોણ હતું તે જાણવા મળશે એટલે અમે તેના વિરૂૂદ્ધ પોલીસ ફરિયાદ કરશું. મૃતક નરેશભાઇને સંતાનમાં એક બાર વર્ષનો દિકરો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

Advertisement

Tags :
a youngcuthislifemanshortTired of being harassed by usurers in Bhavnagar
Advertisement
Next Article
Advertisement