ભાવનગરમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવાને જીવન ટૂંકાવ્યું
ભાવનગર માં વ્યાજખોરના ત્રાસથી કંટાળી યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત વહોરી લીધાનો બનાવ બનવા બનવા પામ્યો છે.
માહિતી મુજબ ભાવનગર શહેરના તિલકનગર ચારભાઇ બીડી વાળા ખાંચા નજીક રહેતા નરેશભાઇ દેવજીભાઇ ચૌહાણ ઉ.વ.37 એ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત વ્હોરી લેતા યુવકને ગંભીર હાલતે સર.ટી. હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા જ્યાં તબીબે યુવકને મૃત જાહેર કરતા પરિવારમાં ભારે શોક છવાઇ જવા પામ્યો હતો. મૃતકના ભાઇ સંજયભાઇ નાં જણાવાયા મુજબ નરેશભાઇ બે - ત્રણ દિવસથી તણાવમાં રહેતા હતા અને અમને પણ બે - ત્રણ દિવસ પહેલા જ નરેશભાઇને કોઇ વ્યાજખોર પઠાણી ઉઘરાણી કરી માનસિક ત્રાસ આપતો હોવાનું જણાવ્યું હતું.
જે બાદ તણાવમાં રહેતા નરેશભાઇએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પરંતુ અમને આગામી દિવસોમાં બે થી ત્રણ વ્યાજખોર કોણ હતું તે જાણવા મળશે એટલે અમે તેના વિરૂૂદ્ધ પોલીસ ફરિયાદ કરશું. મૃતક નરેશભાઇને સંતાનમાં એક બાર વર્ષનો દિકરો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.