ભાવનગરમાં ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો ધંધો કરતા યુવકનો દેણુ વધી જતાં આપઘાત
ભાવનગરમાં આર્થીકભીંસથી કંટાળી જઈ વધુ એક યુવાને આપઘાત વહોરી લીધો છે શહેરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતા ટુલ્સ એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા યુવાને લેણું વધી જતાં આર્થીક ભીંસથી કંટાળી ગેસ્ટ હાઉસમાં જઈ ગળેફાંસો ખાઈ આપઘાત વહોરી લીધો છે.
આ અંગેની વિગત મુજબ કાળિયાવાડ વિસ્તારમાં ચેતન્ય વિલાસ સોસાયટીમાં રહેતા અને ક્વીક ઇન્ફો સર્વિસ નામે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ નો વ્યવસાય કરતા યથાર્થ ભાઈ અજીતભાઈ ત્રિવેદી (ઉ.વ.33)એ શહેરના અલકાગેટ નજીક આવેલ મીતલ ગેસ્ટમાં રૂમ બુક કરાવી ગેસ્ટ હાઉસમાં રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત વહોરી લીધો હતો. મૃતક યુવાન પાસેથી મળી આવેલ આધારકાર્ડને આધારે તેની ઓળખ મેળવી એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી હતી. મૃતક યુવાન ઉપર લેણું વધી જતા આર્થીક સંકડામણથી કંટાળી જઈ પગલુ ભર્યુ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આ બનાવની તપાસ એ.આઈ.આઈ. ઉષાબેન ભીમાણી ચલાવી રહ્યા છે.