રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ભાવનગરમાં ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો ધંધો કરતા યુવકનો દેણુ વધી જતાં આપઘાત

12:04 PM Dec 22, 2023 IST | Sejal barot
Advertisement

ભાવનગરમાં આર્થીકભીંસથી કંટાળી જઈ વધુ એક યુવાને આપઘાત વહોરી લીધો છે શહેરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતા ટુલ્સ એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા યુવાને લેણું વધી જતાં આર્થીક ભીંસથી કંટાળી ગેસ્ટ હાઉસમાં જઈ ગળેફાંસો ખાઈ આપઘાત વહોરી લીધો છે.
આ અંગેની વિગત મુજબ કાળિયાવાડ વિસ્તારમાં ચેતન્ય વિલાસ સોસાયટીમાં રહેતા અને ક્વીક ઇન્ફો સર્વિસ નામે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ નો વ્યવસાય કરતા યથાર્થ ભાઈ અજીતભાઈ ત્રિવેદી (ઉ.વ.33)એ શહેરના અલકાગેટ નજીક આવેલ મીતલ ગેસ્ટમાં રૂમ બુક કરાવી ગેસ્ટ હાઉસમાં રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત વહોરી લીધો હતો. મૃતક યુવાન પાસેથી મળી આવેલ આધારકાર્ડને આધારે તેની ઓળખ મેળવી એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી હતી. મૃતક યુવાન ઉપર લેણું વધી જતા આર્થીક સંકડામણથી કંટાળી જઈ પગલુ ભર્યુ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આ બનાવની તપાસ એ.આઈ.આઈ. ઉષાબેન ભીમાણી ચલાવી રહ્યા છે.

Advertisement

Tags :
a young man who was in the business of tours and travels committed suicidebhavnagardebtsDueincreasingto
Advertisement
Next Article
Advertisement