ભાવનગરના સણોસરા ગામે બ્રહ્માણી માતાજીના મંદિરમાં રૂા.4.63 લાખની મતાની ચોરી
01:04 PM Dec 09, 2023 IST | Sejal barot
ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના સણોસરા ગામમાં આવેલ માતાજીના મંદિરમાં ત્રાટકી તસ્કરો માતાજીના સોના- ચાંદીના આભૂષણોની ચોરી કરી નાખી છૂટયા હતા.
ચોરીના આ બનાવ અંગે મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના સણોસરા ગામમાં આવેલ લીંબાણી પરિવારના કુળદેવી બ્રહ્માણી માતાજીના મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને રૂૂ. 4.63.લાખ ની કિંમત નાં માતાજીના સોના-ચાંદીના આભૂષણો સહિતની વસ્તુઓની ચોરી કરી નાસી છૂટ્યા હતા.આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં સોનગઢ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા સિહોરના સુરકા ગામમાં આવેલ માતાજીના મંદિરમાં ચોરી નો બનાવ બનવા પામ્યો હતો. આમ ગોહિલવાડ પંથકના મંદિરો માં પણ હવે ચોરી નાં બનાવો વધી રહ્યા છે.
Advertisement
Advertisement