For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શિવરાત્રીના મેળામાં પ્લાસ્ટિકની વસ્તુઓ પર પ્રતિબંધ: 6 ટીમ કરશે ચેકિંગ

12:53 PM Mar 01, 2024 IST | Bhumika
શિવરાત્રીના મેળામાં પ્લાસ્ટિકની વસ્તુઓ પર પ્રતિબંધ  6 ટીમ કરશે ચેકિંગ
  • ભાવિકોને પ્લાસ્ટિકની વસ્તુઓ મેળામાં ન લઇ જવાની તંત્ર દ્વારા અપીલ

Advertisement

આધ્યાત્મિક અને પૌરાણિક મહત્વ ધરાવતા પ્રસિદ્ધ મહાશિવરાત્રીના મેળાનો તા.5 માર્ચે વિધિવત રીતે પ્રારંભ થશે, ત્યારે મહાશિવરાત્રીના મેળામાં પધારતા ભાવિકોને પ્રતિબંધિત પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ સાથે ન લાવવા જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. કલેકટર અનિલકુમાર રાણાવસિયા પર્યાવરણ અને પ્રકૃતિ માટે હાનિકારક પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ અટકે તે માટે સંબંધિત અધિકારીઓને જરૂૂરી દિશાનિર્દેશ આપવાની સાથે સમયાંતરે તેની સમીક્ષા કરી રહ્યા છે.

કલેકટરે ખાસ મહાશિવરાત્રીના મેળામાં આવતા ભાવિકોને પણ પ્રતિબંધિત પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ સાથે ન લાવવા અને તંત્રને જરૂૂરી સહયોગ આપવા અપીલ કરી છે. આ સંદર્ભે નાયબ વન સંરક્ષક અક્ષય જોશીએ જણાવ્યું કે, એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ મુજબ પ્લાસ્ટિક પ્રતિબંધની જોગવાઈ થયેલ છે. જેની અમલવારી માટે ત્રણ સ્ટેશન ટીમ અને ત્રણ મોબાઇલ ટીમની રચના કરવામાં આવી છે, સ્ટેશન ટીમ ગિરનાર પર્વતની નવી અને જૂની સીડી ઉપરાંત દાતારના એન્ટ્રી પોઇન્ટ પર કાર્યરત છે અને ગિરનાર પર પ્લાસ્ટિક જતું અટકાવવા માટે જરૂૂરી કાર્યવાહી કરશે.

Advertisement

પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ અટકાવવા માટે 3 મોબાઈલ ટીમ કાર્યરત રહેશે, જે મહાશિવરાત્રીના મેળા સહિતના વિસ્તારમાં ફરીને પ્લાસ્ટિક વપરાશને અટકાવવા માટે જરૂૂરી કાર્યવાહી કરશે સાથે જ આ કાયદાની અમલવારીમાં સહકાર ન આપવામાં આવે તો દંડ સહિતની કડક કાર્યવાહી કરશે. આ 3 મોબાઇલ ટીમમાં વન વિભાગ ,પોલીસ, મહાનગરપાલિકા અને પંચાયતના અધિકારી-કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ગિરનાર અભયારણ્ય ઉપરાંત ભવનાથ તળેટી વિસ્તાર સહિત ઈકો સેન્સિટીવ ઝોનમાં આવતા 27 ગામમાં પ્લાસ્ટિક સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. પ્લાસ્ટિક પ્રતિબંધની અસરકારક અમલવારી થાય તે માટે જનજાગૃતિ ઝુંબેશ ચલાવવામાં આવશે. આ ઝુંબેશને આયોજનબદ્ધ રીતે ચલાવવા માટે પ્રાંત અધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, ડેપ્યુટી કમિશનર અને એસીએફના સમાવેશ કરતી એક કમિટીની રચના કરવામાં આવી છે.

પ્લાસ્ટિકથી પ્રકૃતિ અને પર્યાવરણને થતા નુકસાન માટે અવરનેશ લાવવા રેલી, વિવિધ સ્પર્ધા, નેચર એજ્યુકેશન કેમ્પ યોજવામાં આવશે. ઉપરાંત બેનર, હોર્ડિંગ્સ, ભીતસૂત્રો દ્વારા પણ જાગૃતિ માટેના જરૂૂરી પગલાં લેવાશે.
ગિરનાર સીડી પર પણ હિન્દી ઈંગ્લીશ ગુજરાતી ભાષા ઉપરાંત મહારાષ્ટ્રમાંથી સવિશેષ દત્તાત્રેય ભગવાનના દર્શન માટે ભાવિકો આવતા હોવાથી મરાઠીમાં પણ જનજાગૃતિ અર્થેના સાઈન બોર્ડ બેનર મુકવામાં આવ્યા છે. તેમજ 250 જેટલી ડસ્ટબિન મૂકવામાં આવી છે.

મહાશિવરાત્રીના મેળા દરમિયાન ગિરનાર સીડી પર સફાઈનું સ્તર પણ જળવાઈ રહે તે માટે વધારાના 200થી વધારે સફાઈ કર્મીઓ કાર્યરત રહેશે.ઉપરાંત વનવિભાગના અન્ય ડિવિઝનના અધિકારીઓ કર્મચારીઓ મેળા દરમિયાન ફરજરત રહેશે. આ ઉપરાંત ગિરનાર ભવનાથ તીર્થ ક્ષેત્રના સાધુ સંતો દ્વારા પણ ભાવિકોને પ્લાસ્ટિક સાથે ન લાવવા અપીલ કરવામાં આવશે.

ગિરનાર તળેટીમાં પ્લાસ્ટિક મુક્ત ગિરનાર થીમ પર વોલ પેઈન્ટિંગ સ્પર્ધાનો પ્રારંભ
પ્લાસ્ટિક મુક્ત ગિરનાર થીમ પર ગિરનાર તળેટી વિસ્તારમાં આવતીકાલ તા.1 માર્ચના રોજ સવારે 7 કલાકે વોલ પેઇન્ટિંગ સ્પર્ધાનો પ્રારંભ થશે. જેમાં જૂનાગઢ શહેર જિલ્લાના 37 જેટલા આર્ટિસ્ટ ભાગ લઈ રહ્યા છે. તા.1 તથા 2 માર્ચના રોજ યોજાનાર આ વોલ પેઇન્ટિંગ સ્પર્ધામાં 37 આર્ટિસ્ટ પોતાના કલા કસબ દ્વારા ગિરનાર પ્લાસ્ટિક મુક્ત રહે તેવા સંદેશ આપતા રંગબેરંગી ચિત્રો દિવાલ પર કંડારશે. જેથી ગિરનાર દર્શને આવતા પ્રવાસીઓને પ્રતિબંધિત અને પર્યાવરણ માટે હાનિકારક પ્લાસ્ટિક વપરાશ ન કરવા માટે પ્રેરણા મળશે. આ આર્ટિસ્ટ ગિરનાર ગેઈટ, ગિરનારની નવી સીડી, સુદર્શન તળાવ, માધવ આશ્રમ, રોપ વે પાર્કિંગ સહિતના સ્થળની દિવાલ પર પ્લાસ્ટિક મુક્ત ગિરનારની થીમ ઉપર કલાત્મક અને રંગબેરંગી ચિત્રો કંડારશે. આ ઓલ પેઇન્ટિંગ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર સ્પર્ધકોને પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવશે. આ સ્પર્ધકોનો ઉત્સાહ વધારવા માટે જૂનાગઢ શહેરના લોકોને ઉપસ્થિત રહેવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement