સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ક્રાઇમગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકઈ પેપર
Advertisement

બૂરી આદતે જીવ લીધો: જૂનાગઢમાં વૃદ્ધે દારૂના નશામાં એસિડ પી લેતાં મોત

12:23 PM Jun 21, 2024 IST | admin
Advertisement

જૂનાગઢમાં રહેતા વૃદ્ધે દારૂૂના નશામાં એસિડ ગટગટાવી લીધું હતું. વૃદ્ધનું સારવારમાં મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે કરૂૂણ કલ્પાંત સર્જાયો છે.

Advertisement

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જૂનાગઢમાં વંથલી રોડ ઉપર આવેલ મધુરમ નોબલ રેસીડેન્સીમાં રહેતા જસમતભાઈ દેવજીભાઈ પરમાર નામના 65 વર્ષના વૃદ્ધ પોતાના ઘરે હતા. ત્યારે રાત્રિના દસેક વાગ્યાના અરસામાં દારૂૂના નશામાં એસિડ પી લીધું હતું. વૃદ્ધને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

જ્યાં વૃદ્ધનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. પ્રાથમિક પૂછપરછમાં મૃતક જસમતભાઈ પરમાર બે ભાઈ એક બહેનમાં મોટા હતા અને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં સુરેન્દ્રનગરના મોથળ ગામે રહેતા પરિવારના ત્રણ દિવસના નવજાત બાળકને આંચકી ઉપડતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બાળકની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
alcoholdeathgujaratgujarat newsJunagadhJunagadh NEWS
Advertisement
Next Article
Advertisement