For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અયોધ્યા રેલ્વે સ્ટેશન અત્યાધુનિક સુવિધાથી થશે સજ્જ ! મળશે એરપોર્ટ જેવી વર્લ્ડ ક્લાસ ફેસીલીટી, 30 ડિસેમ્બરે PM મોદી કરશે ઉદ્ધાટન

02:46 PM Dec 28, 2023 IST | Bhumika
અયોધ્યા રેલ્વે સ્ટેશન અત્યાધુનિક સુવિધાથી થશે સજ્જ   મળશે એરપોર્ટ જેવી વર્લ્ડ ક્લાસ ફેસીલીટી  30 ડિસેમ્બરે pm મોદી કરશે ઉદ્ધાટન

અયોધ્યામાં રામ મંદિરને લઈને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ દરમ્યાન અયોધ્યા રેલ્વે સ્ટેશનને અત્યાધુનિક સુવિધાથી સજ્જ કરી એરપોર્ટ જેવા વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે. તેને પારંપરિક મંદિર જેવા મુકુટ ધરાવતા ડિઝાઈનમાં બનાવવામાં આવી રહ્યું છે. સ્ટેશનની આ નવી ઈમારતનું ઉદ્ધાટન 30 ડિસેમ્બર 2023ના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે.

Advertisement

સ્ટેશનના ઉદ્ધાટન પહેલા બુધવારે વિભિન્ન એજન્સિઓના અધિકારીઓએ પ્રધાનમંત્રીની યાત્રા પહેલા તૈયારીઓનું નિરીક્ષણ કર્યું. લગભગ 2 વર્ષ પહેલા શરૂ થયેલ કામ રેલ મંત્રાલય હેઠળ કેન્દ્રીય સાર્વજનિક ક્ષેત્રના ઉપક્રમે રાઈટ્સ (રેલ ઈન્ડિયા એન્ડ ઈકોનોમિક સર્વિસ) લિમિટેડ દ્વારા કરવામાં આવી રહ્યું છે.

રાઈટ્સના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, પુનર્વિકાસ કાર્યમાં કેટલીક આધુનિક સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં એરપોર્ટ જેવી સુવિધાઓ સામેલ છે. પરંતુ તેનું આર્કિટેક્ચર પારંપારિક ડિઝાઈન પર આધારિત છે. અધિકારીએ જણાવ્યું કે, ઈમારતના અગ્રભાગમાં એક મુખ્ય સ્તંભ છે, જેમાં સેન્ડસ્ટોનની લેયર છે. અને તેના કાંઠાના છેડે ઉંચા ગોળાકાર થાંભલા છે, જે પરંપરાગત દેખાવ આપવા માટે સેન્ડસ્ટોનના પત્થરનું સ્તર ધરાવે છે.

Advertisement

સ્ટેશનની ટોચ પર એક સંરચના છે જેની ડિઝાઈન શાહી "મુકુટ" જેવી છે. જ્યારે તેની નીચે એક દિવાલ પર ધનુષનું ચિત્રણ કરવામાં આવ્યું છે. જે ભગવાન રામ સાથે અયોધ્યા સાથેનું જોડાણ દર્શાવે છે. ત્રણ માળની આ ઈમારતમાં બે શિખર છે, જે રેલવે ટ્રેક સમાન સંરચનાના દરેક ખૂણા પર છે, જ્યારે તેના અગ્રભાગ પર બે છત્રી-આકારની સંરચના છે.

જણાવવામાં આવી રહ્યું છે કે, અગાઉની પ્રસ્તાવિત ડિઝાઇનની સરખામણીમાં માસ્કની ડિઝાઇનમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. અધિકારીએ કહ્યું, "બિબિલ્ડિંગના આગળના ભાગમાં ટેક્સી ખાડી છે અને મધ્યમાં વિસ્તૃત મંડપ છે. " પુનર્વિકસિત સ્ટેશનમાં બાળકોની સાર સંભાળ, રિટાયરિંગ રુમ, ફૂડ પ્લાઝાની સુવિધા છે અને ભવિષ્યમાં કેટલીક દુકાનો પણ હશે.

સ્ટેશનમાં વિશાળ રેસ્ટિંહ રુમ, ક્લોક રુમ, શૌચાલય સુવિધાઓ, લિફ્ટ, એસ્કેલેટર અને નવીનત્તમ સાઈનેઝ પણ છે. તેમાં એક પર્યટક સુચના કાઉન્ટર પણ હશે. તેના મુખ્ય કેન્દ્રીય હોલના તળીયે પત્થર જડવાનું કામ કરવામાં આવ્યું છે. અને તેની ઉંચી છતના કેટલાક ભાગમાં પોલીકાર્બોનેટ શીટ છે. જે તેને નીલા રંગ આપે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement