ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

‘બચ્ચા તેરા કલ્યાણ હોગા’, કહી સાધુ વેશમાં આવેલા ગઠિયાએ લાઠીના યુવાનની વીંટી તફડાવી

11:49 AM Nov 23, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement
Advertisement

લાઠી તાલુકાના કરકોલીયામા રહેતો એક યુવક બાઇક લઇને ખાખરીયા ગામ તરફ જઇ રહ્યો હતો ત્યારે ગળકોટડી પાસે એક કાર રસ્તામા ઉભી રહી હતી અને કારમા બેઠેલા સાધુએ શિવ મંદિર કયાં છે ? કહી વાતચીત શરૂૂ કરી હતી અને બાદમા યુવકને તમારૂૂ દુખ દુર થઇ જશે કહી સોનાની વિંટી લઇ નાસી છુટતા આ બારામા યુવકે બાબરા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.મામૈયાભાઇ વરૂૂ (ઉ.વ.48) નામના યુવકે બાબરા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઓ તારીખ 31/10ના રોજ બપોરે બે વાગ્યાના સુમારે કરકોલીયાથી બાઇક લઇને ખાખરીયા વેવાઇના ઘરે જઇ રહ્યાં હતા.

તેઓ ગળકોટડી નજીક પહોંચ્યા ત્યારે રસ્તામા એક કાર ઉભી રહી હતી. કારમા એક સાધુ બેઠા હતા અને કયાંય શિવ મંદિર છે તેમ પુછયુ હતુ. બાદમા ચાલકે કહેલ કે ગીરનારી સાધુ છે જેથી તેમને નમસ્કાર કર્યા હતા.સાધુએ કહેલ કે બચ્ચા તેરા કલ્યાણ હોગા. ચાલકે કહેલ કે આ સાધુ થાન બાજુના નેનુનાથ ગીરનારી સાધુ છે જેના દર્શન કરવા તે એક લ્હાવો છે. સાધુને 10 રૂૂપિયા આપતા તેણે રૂૂદ્રાક્ષનો પારો આપ્યો હતો. બાદમા મોબાઇલ માંગ્યો હતો અને તેના પર રૂૂદ્રાક્ષના પારા જેવી વસ્તુ ફેરવીને પરત આપી દીધો હતો. બાદમા સાધુએ હાથમા પહેરેલ સોનાની વિંટી માંગી હતી જેની કિમત રૂૂપિયા 58 હજાર હતી. જેથી તેમને આપતા ચાલકે ગાડી ભગાવી મુકી હતી.

પોલીસે નેનુનાથ ઉર્ફે મુનાભાઇ જવેરનાથ સોલંકી અને સુરજનાથ ઝવેરનાથ સોલંકી સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Tags :
amrelicrimegujaratgujarat newsLathilathi news
Advertisement
Advertisement