રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વડિયા ગામમાં રખડતા શ્ર્વાનનો આતંક, 16 લોકોને બચકાં ભર્યાં

12:32 PM Aug 03, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

એક પોલીસ કર્મચારી પણ ઝપટે ચડયો

અમરેલીના વડિયામાં એક શ્વાને લોકોને ભટમાં જીવવા મજબૂર કરૂૂ દીધા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. અમરેલીના વડીયામાં આ શ્વાને 16 જણાને બચકા ભરીને સિકાર બનાવ્યા હતા. જેને પગલે આ વિસ્તારના લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. બચકા ભરતા આ શ્વાને એક પોલીસકર્મીને પણ છોડ્યો ન હતો. આ શ્વાનને પકડવામાં પણ બિલાડીને ગળે ઘંટ બાંધવા કોણ જાય તેવો ઘાટ સર્જાયો છે.

તેમછત્તા ગ્રામ પંચાયત અને સ્થાનિક લોકોએ હિંમત એકઠી કરીને આ શ્વાનને પકડવાના અભિયાનમાં જોડાયા હતા. બીજીતરફ આ શ્વાનથી ઈજાગ્રસ્ત થયેલા લોકોને વડીયાની સિવિલ હોસ્પિટલમાં હડકવાની રસી ન હોવાથી સામાન્ય રસી આપવામાં આવી છે. જે પણ તંત્રની એક કરૂૂણતા ગણાય.

હડકવાની રસી ન હોવાથી ઈજાગ્રસ્તોને રસી માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. નવાઈની વાત એ છે કે અમરેલી સિવિલ હોસ્પિટલમાં પણ હડકવાની રસી ન હોવાથી લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. પરંતુ તંત્રના પેટનું પાણી હલતું નતી.જિલ્લામાં હડકવાની રસી ન હોવાથી લોકોને રસી મુકાવવા માટે અન્ય ઠેકાણે દોડવુ પડે છે. જેને પગલે સ્તાનિકોમાં ભારે રોષ ફેલાયેલો છે અને લોકોએ તાલુકા વાઇઝ હડકવાની રસી ઉપલબ્ધ હોય તેવી માંગણી કરી છે.

Tags :
amreliamreli newsdog attackgujaratgujarat newsVadia
Advertisement
Next Article
Advertisement