રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સોરી… જીવતો હોઈશ તો પાછા મળીશું, ચીઠ્ઠી લખી રાજુલાનો બેંક કર્મચારી બે દિવસથી લાપતા

12:11 PM Oct 07, 2024 IST | admin
Advertisement

પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી

Advertisement

રાજુલાના કુંભારવાડા વિસ્તારમા રહેતો અને કેનેરા બેંકમા કામ કરતો એક 37 વર્ષીય યુવાન છેલ્લા બે દિવસથી ગુમ થઇ ગયો હોય તેના પત્નીએ આ અંગે સ્થાનિક પોલીસને જાણ કરી છે. ઘરેથી જતા પહેલા આ યુવાન ઘરે એક ચિઠ્ઠી પણ મુકતો ગયો હતો.

મનોજ જીવનભાઇ ગોહિલ (ઉ.વ.37) નામનો આ યુવાન ગત ચોથી તારીખની બપોરથી અચાનક ગુમ થઇ ગયો છે. આ યુવાન કુંભારવાડામા કોળી સમાજની વાડી પાસે રહે છે. અને તેના પત્ની દક્ષાબેન મનોજભાઇએ આ અંગે સ્થાનિક પોલીસને જાણ કરી હતી. તેણે પોલીસને જણાવ્યું હતુ કે તેના પતિ ગુમ થતા પહેલા ઘરે એક ચિઠ્ઠી પણ મુકતા ગયા હતા. જેમા તેણે લખ્યુ હતુ કે નસ્ત્ર જીવતો હોઇશ તો પાછા મળીશુ, મને માફ કરી દેજે અને છોકરાનુ ધ્યાન રાખજે.

આવી ચિઠ્ઠી યુવાને પોતાના પાકિટમા મુકી હતી અને બપોરે ત્રણેક વાગ્યે કેનેરા બેંકની ગાડી લઇ બેંકે ગયો હતો. જયાં ગાડી મુકી પોતાનો ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો અને સવા ત્રણેક વાગ્યે કોઇને પણ જાણ કર્યા વગર અચાનક ગુમ થઇ ગયો હતો. રાજુલાના એએસઆઇ આર.કે.વરૂૂ બનાવ અંગે તપાસ ચલાવી રહ્યાં છે.

Tags :
amreliamrelinewsgujaratgujarat newsrajulanews
Advertisement
Next Article
Advertisement