ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રાજકોટના એસ.ટી કર્મચારીને ઉંચા વળતરની લાલચ આપી 20 લાખની ઠગાઇ

11:59 AM Jul 29, 2025 IST | Bhumika
Advertisement

મેટા કવોટસ કંપનીના એજન્ટે 10 થી 15 ટકા ઉંચા વળતરની લાલચ આપી હતી, ચલાલા પોલીસમાં ગુનો નોંધાયો

Advertisement

ચલાલામાં એસટી કર્મચારીને ઉંચા વળતરની લાલચ આપી 20 લાખનું રોકાણ કરાવી કંપની બંધ કરી છેતરપિંડી આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

રાજકોટના ઢેબર રોડ પર રહેતા અને ચોટીલા એસટી ડેપોમાં કંડકટર તરીકે નોકરી કરતા પ્રદીપભાઈ નારણભાઈ કાનગડ (ઉ.વ.35)એ ચલાલા પોલીસ મથકમાં ફરિયાદમાં જણાવ્યું હતું કે મેટા ક્વોટસ કંપનીના એજન્ટે તેની મેટા ક્વોટસ કંપનીના પોર્ટ ફોલીયો મેનેજમેન્ટ સર્વીસ ફંડમાં માસીક 10 થી 15 ટકા ઉંચા વળતરની લાલચ આપી હતી.

તેમજ પ્રદીપભાઈ કાનગડને ઉચા વળતરની લાલચ આપી રૂૂપિયા 20,00,000નું રોકાણ કરાવ્યું હતું. જે બાદ બંધ કરી દઈ તેના નાણાં ઓળવી ગયા હતા.

તેમજ ઉંચા વળતરની લાલચ આપી 20 લાખની છેતરપિંડી આચરી હતી. આ અંગે ચલાલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પીઆઈ જી.આર.વસૈયા વધુ આગળની ધોરણસરની તપાસ ચલાવી રહ્યા છે. આમ, પોલીસની કાર્યવાહી છતાં જિલ્લામાં વધુ એક શખ્સ છેતરપિંડીનો ભોગ બન્યો હતો.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement