રાજુલા નજીક હાઇવે પર ટ્રકની પાછળ કાર ઘૂસી જતા એકનું મોત, ત્રણ ઘાયલ
અમરેલી જિલ્લાના રાજુલા નજીક ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર હિંડોરણાના પુલ પર મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હિંડોરણા બ્રિજ પાસે ગેરકાયદેસર રીતે પાર્ક કરેલા ટ્રક પાછળ એક કાર ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતમાં કાર અડધી ટ્રકની નીચે ઘૂસી ગઈ હતી.અકસ્માતમાં કારમાં સવાર અરજણભાઈ ભોજભાઈ મોરીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અન્ય ત્રણ મુસાફરો ધર્મેન્દ્રસિંહ કનુભાઈ પરમાર, સંજયસિંહ જોરસન મોરી અને નીતાબેન સંજયસિંહ મોરીને ગંભીર ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ તમામ લોકો ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં લગ્ન પ્રસંગમાંથી સિહોર તાલુકાના વડીયા ગામે પરત ફરી રહ્યા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે મૃતદેહ અને કારને બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવી પડી હતી. ઘટનાસ્થળે હિંડોરણા બ્રિજ પર બે ટ્રક અને એક મોટું ટ્રેલર પાર્ક કરેલા હતા. બ્રિજની નીચે પણ અનેક ટ્રક-ટ્રેલર અને ક્ધટેનર્સ ઊભા હતા. પોલીસે ટ્રક ચાલકની ગંભીર બેદરકારી બદલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂૂ કરી છે. હાઈવે પર ગેરકાયદે પાર્કિંગ કરતા વાહનચાલકો સામે કડક કાર્યવાહીની માંગ ઊઠી છે. ત્યારે અંધારામાં પાર્ક કરેલ વાહનો તેમજ સામેથી આવતા વાહનો ની સફેદ લાઇટ ના કારણે પણ ડ્રાઇવરની આંખો અંજાઈ જવાના લીધે આવી દુર્ઘટનાઓ વધુ બનવા પામે છે ત્યારે આ બાબતે પોલીસ તેમજ અમરેલી આરટીઓ કડક હાથે કામગીરી કરે તેવી લોક માંગણી ઉઠવા પામેલ છે .