હિન્દુ યુવક સાથે લગ્ન કરવાની જીદમાં મુસ્લિમ યુવતીની હત્યા
અમરેલી જિલ્લાના ખાંભામાં પિતાએ જ ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી
181ને મદદે બોલાવી પણ પોલીસને માત્ર લાશ જ હાથ લાગી
ખાંભાના ડેડાણ ગામે પઓનર કિલિંગથનો બનાવ પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે. જેમાં અન્ય ધર્મના યુવક સાથેનો પ્રેમસંબંધ માતા-પિતાને મંજુર નહીં હોવાથી યુવતીએ મહિલા હેલ્પલાઈનમાં ફોન કરતા ઉશ્કેરાયેલા પિતાએ ગળાટૂંપો દઈને કરી હત્યા કરી નાખી હતી. વળી, 181 અભયમ્ ટીમ મદદે આવે એ પહેલા પિતાએ દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.
મળતી માહિતી મુજબ, ખાંભા તાલુકાના ડેડાણ ગામની ઇશિકાબેન ખોખર નામની યુવતીને એક યુવક સાથે પ્રેમસંબંધ હતો અને તે તેની સાથે લગ્ન કરવા માંગતી હતી. જો કે, તેના પિતા મજીદભાઈ ગુલાબભાઈ ખોખરને આ સંબંધ મંજૂર નહોતો. તેઓ સમાજમાં પોતાની આબરૂૂ જવાની બીકે દીકરીને તેના પ્રેમી સાથે લગ્ન કરવા દેવા માંગતા ન હતા. પરિણામે સગી દીકરી ઈશિકાનું ગળુ દબાવીને હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતક ઇશિકાબેનના મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપી પિતા મજીદભાઈ ખોખરની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.
આશ્ચર્યની વાત છે કે, મૃતક ઇશિકાને કાના નામ યુવક સાથે પ્રેમસંબંધ હતો, પણ પિતા મજીદભાઈ અને માતા મુમતાઝબેનને એ મંજુર નહોતો. જેથી છેલ્લા ઘણા સમયથી ઘરમાં કંકાશ ચાલતો હતો. આ દરમિયાન ગઈકાલે રાત્રે અઢી વાગ્યાના અરસામાં ઇશિકાએ 181 અભયમ્ મહિલા હેલ્પલાઈનમાં ફોન કરીને મદદ માંગી હતી. જેથી અભયમ્ ટીમ ડેડાણ ગામે ગામે પહોંચતા માતા મુમતાઝબેને દરવાજો ખોલ્યો અને ઇશિકા સુતી હોવાનું કહ્યું હતું. જેથી તેને ઉઠાડવાનું કહેતા માતાએ આનાકાની કરી, જેથી શંકા જતાં અભયમ્ ટીમે રૂૂમમાં જઈને જોતા ઈશિકા પથારીમાં બેભાન જેવી હાલતમાં હતી.
પરિણામે 108 એમ્બ્યૂલન્સને જાણ કરતા આવીને તપાસ કરતા તેણીનું મૃત્યુ પામ્યાનું જણાયું હતું. તેને ગળાના ભાગે નિશાન પણ હોવાથી પોલીસને જાણ કરતા દોડી આવીને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.આ મામલે પોલીસે મૃતક ઇશિકાની માતા મુમતાઝબેનની આગવીઢબે પુછપરછ કરતા ભાંગી પડયા હતા અને રડતા રડતા કબુલ્યું કે, દીકરી ઇશિકાના લગ્ન નક્કી થયા હતા, પણ તેને અન્ય યુવક સાથે પ્રેમસંબંધ હતો, જે અન્ય ધર્મનો હોવાથી આબરૂૂ જવાની બીકે પિતા મજીદભાઈ ખોખરે રાત્રે અઢી વાગ્યાનાં અરસામાં તેણીનું ગળુ દબાવી હત્યા કરી નાંખી હતી. જેથી ખાંભાના પીઆઈ આર.જી. ચૌહાણે ખુદ ફરિયાદ બનીને ગુનો દાખલ કરી ફરાર પિતા સામે વધુ તપાસ હાથ ધરી છે.