ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

24 કલાકમાં દીકરીને પટ્ટા મારનારના પટ્ટા ન ઉતરે તો ઉપવાસ કરીશ : પરેશ ધાનાણી

11:56 AM Jan 08, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

અમરેલીમાં પત્રિકાકાંડમાં પાટીદાર દીકરી સાથે બનેલી ઘટના બાદ હવે તેના પડઘા પડી રહ્યાં છે. આ વચ્ચે અમરેલીમાં પૂર્વ વિપક્ષ નેતાએ ઉપવાસની ચીમકી આપી છે. પાયલ ગોટીને ન્યાય અપાવવા પરેશ ધાનાણી ઉપવાસ કરશે.

Advertisement

24 કલાકમાં પોલિસકર્મી વિરુદ્ધ કાર્યવાહી કરવા તેમણે માંગ કરી છે. તેમણે ચીમકી આપતા કહ્યું કે, નેતાના ઈસારે યુવતીને પરેશાન કરનાર કર્મચારી પર કાર્યવાહી થાય છે.
લેટરકાંડમા પાયલ ગોટી મામલે પરેશ ધાનાણી પણ મેદાનમાં ઉતર્યા છે. પુર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી યુવતીને ન્યાય અપાવવા માંગ કરી છે. ધાનાણીએ ભાજપ સરકાર અને ધારાસભ્ય કૌશીક વેકરીયાને ચીમકી આપી. આગામી 24 કલાકમાં જવાબદાર પોલીસ અધિકારી અને કર્મચારીઓને ડીસમીસ કરવાની માંગ કરી.

ધાનાણીએ કહ્યું કે, 24 કલાકમાં દિકરીને પટ્ટા મારનારના પટ્ટા ઉતારી દીકરીને ન્યાય આપો. 24 કલાકમાં પગલા નહી લેવાય તો ગુરુવારે સવારે 10 વાગે થી અમરેલી જિલ્લા પોલીસ વડા સામે 24 કલાકના ઉપવાસ કરીશ.

તેમણે રાજકીય અને સામાજિક આગેવાનોને આ લડાઈમાં જોડાવા આહવાન કર્યું. પત્રમા લખાયેલા મુદ્દા બાબતે કૌશિક વેકરીયાને જાહેરમાં ચર્ચા કરવા પડકાર ધાનાણીએ પડકાર ફેંક્યો. તેમણે કહ્યું કે, જો કૌશિક વેકરીયા દુધે ધોયેલાં હોય તો આવતીકાલે સાંજે 6 વાગે રાજકમલ ચોકમાં જાહેરમાં ચર્ચા કરવા પડકાર ફેકું છું.

Tags :
amreliamreli newsCongressgujaratgujarat newsparesh dhanani
Advertisement
Advertisement