ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

અમરેલીના એસ.પી. સામે સીધો મોરચો ખોલતા દિલીપ સંઘાણી

11:43 AM May 31, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

એસપી સંજય ખરાતની નીતિ-રીતિ સામે જરૂૂર પડ્યે ભાજપનું સંમેલન યોજવાની જાહેરાતથી ખળભળાટ

Advertisement

અમરેલી જિલ્લામાં ભાજપના આંતરિક ઝઘડામાં નિર્દોષ યુવતીનું પોલીસે જાહેર સરઘસ કાઢ્યું ત્યારબાદ ભાજપમા એક જૂથ પોલીસ સામે અને બીજું જૂથ પોલીસની તરફેણમાં ખુલ્લેઆમ કામ કરી રહ્યા છે તેવામાં બે દિવસ પહેલા ભાજપના જ નેતા વિપુલ દુધાતે દારૂૂના ધંધાઓ અંગે પોલીસ સામે કરેલા આક્ષેપો બાદ ભાજપ અને પોલીસ વચ્ચેની આગ વધુ ભડકી છે.

અમરેલીના એસપી સંજય ખરાતની નીતિ રીતે અને કાર્યશૈલી સામે હવે ભાજપના જ દિગ્ગજ નેતા અને ઇફકો ના ચેરમેન દિલીપ ભાઈ સંઘાણીએ ખુલ્લું બંડ પોકારી દીધું છે અને એસપી સામે સરકારમાં રજૂઆત કરી જરૂૂર પડીએ અમરેલીમાં પોલીસ વિરુદ્ધ ભાજપનો જ સંમેલન યોજવાની જાહેરાત કરતા ભારે ખડભડાટ મચી જવા પામેલ છે.

દિલીપભાઈ સંઘાણીએ ગઈકાલે મીડિયા સમક્ષ અમરેલીના એસપી ના વાણી વર્તન સામે ઉગ્ર નારાજગી વ્યક્ત કરી હતી અને જરૂૂર પડીએ પોતે પણ પોલીસ વિરુદ્ધ પુરાવા આપવાનો પડકાર કર્યો હતો
સૌરાષ્ટ્રના વરિષ્ઠ નેતા અને ઈંઋઋઈઘના ચેરમેન દિલીપ સંઘાણીએ અમરેલીના જિલ્લા પોલીસ વડા સંજય ખરાત પર ગંભીર આક્ષેપ કર્યા છે. દીલિપ સાંઘાણીએ એસપી સંજય ખરાત પર બુટલેગરો પાસેથી મલાઈ ખાવાનો આક્ષેપ કર્યો છે.

દારૂૂબંધી અંગે એસપીએ બેજવાબદારી ભર્યું નિવેદન આપ્યું હતું. એસપી સંજય ખરાતે કહ્યું દારુ બંધી કરવાને બદલે દારુ પીવા વાળાને બંધ કરવાનું નિવેદન આપ્યું હતું.આ ઉપરાંત એસપીએ ભાજપ કાર્યાલય કેમ ચાલે છે તેની તપાસની પણ ધમકી આપી હોવાનો સાંઘાણીએ આક્ષેપ કર્યો હતો.દિલીપ સંઘાણીએ કહ્યું હતું કે, વિપુલ દૂધાતે રેતી ખનન અટકાવવા અંગે પ્રેસ કરી હતી. કેટલાક પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓના આશિર્વાદને કારણે ખનન પ્રવૃત્તિ ચાલે છે.

જેની શંકા પણ વ્યક્ત કરાઈ હતી. વિપુલ દૂધાતની આ પ્રેસ બાદ અમરેલીના એસપીને ખોટુ લાગ્યું હતું. એસપી સંજય ખરાતને લીલીયા જઈને ભાજપના કાર્યકર્તાઓએ રજૂઆત કરી હતી. એસપીએ આ સમયે બેજવાબદારી ભર્યું નિવેદન આપતા કહ્યું હતું કે, દારુ વેચવા વાળા કરતાં પીવા વાળાએ બંધ કરવો જોઈએ. કાયદાનો રક્ષક જ કાયદાનું ભક્ષણ થાય તેવી વાતો કરે છે.

દારૂૂના ધંધા બીજા કરે અને મલાઈ એસપી ખાઈ રહ્યાં છે. રેતી ખનન અંગેની રજૂઆત દરમિયાન એસપીએ ભાજપ કાર્યાલય કેમ ચાલે છે તેની તપાસની ધમકી આપી હતી.દિલિપ સંઘાણીએ વધુમાં કહ્યું હતું કે,અમે એમરેલીમાં એસપીની મનમાની નહીં ચાલવા દઈએ. અમે કોઈ પણ દોષિતને છાવરતા નથી. મેં અગાઉ રેતી ખનન અંગે રજૂઆત કરી હતી અને ત્યારબાદ બીજા જ દિવસે 40 લોકોને પકડવામાં આવ્યા હતાં.

મેં રજૂઆત કરી ત્યારે ખનન જેવું કશું ચાલતુ જ નથી તેવું પોલીસે જણાવ્યું હતું. એવી જ રીતે મેં કલેક્ટરને પણ ધ્યાન દોરીને ત્રણ જગ્યાએ રેડ કરવા કહ્યું હતું. એ રાત્રે રેતી ખનન કરતા ચોરો પકડાયા હતાં. પરંતુ આ થોડા દિવસ બાદ ફરીવાર શરૂૂ થયું છે. વિપુલ દૂધાતે આ અંગે ફરીવાર પોલીસને રજૂઆત કરી છે.
પોલીસે હજી સુધી કોઈ કાર્યવાહી નથી કરી. કોના પીઠ બળથી આ પ્રવૃત્તિ ચાલે છે તેની તપાસ થવી જોઈએ. એસ પી સંજય ખરાતે કમલમ કાર્યાલય બંધ કરવા કહ્યું છે. અમે મુંગા નહીં બેસીએ. અમારો દરેક કાર્યકર્તા સરકારમાં રજૂઆત કરશે.

ભાજપના દિગ્ગજ નેતાઓનું પણ સરકારમાં કંઇ ઉપજતું નથી??
અમરેલી જિલ્લામાં પોલીસ તંત્રની રીતે સામે છેલ્લા ઘણા સમયથી ભાજપના નેતાઓ નારાજગી વ્યક્ત કરતા આવ્યા છે. ભાજપની આંતરિક લડાઈમાં નિર્દોષ યુવતી પાયલ ગોટી નું સરઘસ કાઢવામાં આવ્યું ત્યારે પણ ભાજપના નેતા દિલીપ સંઘાણીએ પોલીસની કાર્યશૈલી સામે સવાલો ઉઠાવ્યા હતા અને ભારે નારાજગી વ્યક્ત કરી હતી, સાથો સાથ યુવતી સાથે જેલમાં મુલાકાત કરીને જિલ્લા બેંકમાં નોકરીની પણ ઓફર કરી હતી. આ ઘટનામાં પોલીસનો અતિરેક બહાર આવ્યો હતો અને પીઆઈ સહિતના પાંચ પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ સસ્પેન્ડ પણ થયા હતા પરંતુ આજ સુધી સરકાર દ્વારા એસપી સામે કોઈપણ પગલાં ભરવામાં આવ્યા નથી. સરઘસ કાંડનો વિવાદ ઉગ્ર બન્યો ત્યારે પણ અમરેલી ભાજપના નેતાઓએ એસપી સામે પગલાં ભરવાની રજૂઆતો કરી હતી પરંતુ આજ સુધી સરકારે આ નેતાઓની રજૂઆત સાંભળી નથી.

Tags :
amreliamreli newsAmreli SPBJPDilip Sanghanigujaratgujarat news
Advertisement
Advertisement