For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સરકારની ઇચ્છા શક્તિના અભાવે અમરેલીનો વિકાસ અધૂરો: ધાનાણી

04:56 PM Dec 05, 2025 IST | Bhumika
સરકારની ઇચ્છા શક્તિના અભાવે અમરેલીનો વિકાસ અધૂરો  ધાનાણી

અમરેલી ભાજપના નેતા ડો. ભરત કાનાબારના અમરેલીનું નામ પડે એટલે છોકરીવાળા સીધી ના પાડી દે ટ્વીટ પર પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ આકરા પ્રહાર કર્યા છે.

Advertisement

ધાનાણીએ કહ્યું કે રાજ્યને પ્રથમ મુખ્યમંત્રીની ભેટ આપનાર ડો. જીવરાજ મહેતાના અમરેલીમાં આજે પણ વિકાસ અધૂરો છે. તેમણે આક્ષેપ કર્યો કે સરકારની ઇચ્છાશક્તિના અભાવે અમરેલીમાં ખેતીને પણ સમૃદ્ધ કરી શકાઈ નથી અને જિલ્લો ઔદ્યોગિક રીતે ધમધમતો બની શક્યો નથી.

આ જ કારણોસર ધંધા-રોજગારના અભાવે અમરેલીનું યુવાધન દેશ-પરદેશ જવા મજબૂર બન્યું છે અને મોટા ગામના લોકો દીકરી દેતા ખચકાય છે. ધાનાણીએ જણાવ્યું કે અગાઉ પાણી, ઉભરાતી ગટર કે ખાડા-ખડબચડા રોડના કારણે દીકરી નહોતા દેતા, જે સુવિધાઓ અમે વિપક્ષમાં હોવા છતાં પૂરી કરાવી. વધુમાં તેમણે સત્તાધારી પક્ષ પર કટાક્ષ કરતા કહ્યું કે વીર વરઘોડા વાળા બની સત્તામાં બેઠેલા લોકો પોતાની જ દીકરીઓના જાહેરમાં વરઘોડા કાઢે, તો પારકા ગામની દીકરીઓ વોહીયારે અમરેલી કેમ આવે?

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement