For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમરેલીના મોટા લીલિયામાં ઝેરી જનાવરના ડંખથી 4 વર્ષની બાળાનું મોત

11:23 AM May 06, 2025 IST | Bhumika
અમરેલીના મોટા લીલિયામાં ઝેરી જનાવરના ડંખથી 4 વર્ષની બાળાનું મોત

પરિવાર સાથે સાવરકુંડલાથી નાનીની ખબર પૂછી પરત ફરતી વખતે રેલવે સ્ટેશનમાં બની ઘટના

Advertisement

અમરેલીના મોટા લીલીયા ગામે રહેતા પરીવારની 4 વર્ષની બાળકીનુ ઝેરી જનાવર કરડી જવાથી મોત નીપજતા પરીવારમા શોકની લાગણી પ્રસરી છે. મૃતક બાળકી સાવરકુંડલા ગામે નાનીની ખબર પુછી પરીવાર સાથે ઘરે પરત ફરતી હતી ત્યારે રેલવે સ્ટેશન પાસે ઝેરી જનાવર કરડી ગયુ હોવાનુ જાણવા મળ્યુ છે.

આ બનાવ અંગે પોલીસમાથી મળતી વિગત મુજબ અમરેલીના મોટા લીલીયા ગામે રહેતી ધ્રુવીબેન જગદીશભાઇ પરમાર નામની 4 વર્ષની માસુમ બાળકી પરીવાર સાથે સાવરકુંડલા ગામે નાનીની ખબર પુછી પરત ફરી રહી હતી ત્યારે મોટા લીલીયા રેલવે સ્ટેશન પાસે ઝેરી જનાવર કરડી જતા માસુમ બાળકીને સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે દાખલ કરવામા આવી હતી જયા તેનુ મોત નીપજતા પરીવારમા શોકની લાગણી પ્રસરી હતી. પ્રાથમીક પુછપરછમા મૃતક બાળકી એકનાં એક ભાઇની એકની એક મોટી બહેન હોવાનુ જાણવા મળ્યુ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement