રાદડિયાના નિવાસે અમિત શાહે વાગોળી જૂની યાદો
04:10 PM Apr 27, 2024 IST | Bhumika
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહે આજે સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાના ગઢ જામકંડોરણામાં જાહેરસભા સંબોધ્યા બાદ જયેશ રાદડિયાના નિવાસ સ્થાને ભોજન લીધું હતુ અને લગભગ દોઢ કલાક સુધી રાદડિયા પરિવાર સાથે રોકાઈને ખેડુત નેતા સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયા સાથેની જૂની યાદો અને સંસ્મરણો વાગોળ્યા હતા અમિત શાહે સ્વ. વિઠ્ઠલભાઈની કામ કરવાની શૈલી તથા ખેડુતો પ્રત્યેના લગાવના ભારોભાર વખાણ કર્યા હતાં.
Advertisement
Advertisement