સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ક્રાઇમગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકઈ પેપર
Advertisement

'હર હર મહાદેવ'ના નાદ સાથે અમરનાથ યાત્રા શરુ, બાબા બર્ફાનીના દર્શન માટે શ્રદ્ધાળુઓ રવાના

10:40 AM Jun 29, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

'બમ બમ ભોલે', 'જય બાબા બરફાની' અને 'હર હર મહાદેવ'ના નાદ સાથે અમરનાથ યાત્રાની શરુઆત થઈ ગઈ છે. જેમાં પહેલગામ અને બાલતાલ રૂટથી કડક સુરક્ષા વચ્ચે પવિત્ર બાબા બર્ફાનીના દર્શન કરવા માટે પહેલો જથ્થો રવાના થઈ ગઈ છે. કુલ 4,603 શ્રદ્ધાળુઓ આજે શિવલિંગના દર્શન માટે યાત્રા કરશે. ઉલ્લેખનીય છે કે આ યાત્રા 52 દિવસ ચાલશે અને 19મી ઓગસ્ટે શ્રાવણ પૂર્ણિમાના દિવસે પૂર્ણ થશે.

યાત્રા જે વિસ્તારમાંથી પસાર થવાની છે ત્યાં કડક સુરક્ષા રાખવામાં આવી છે. અને જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે. યત્રા શરુ થાય તે પહેલા જ જવાનો દ્વારા મોક ડ્રિલ પણ કરવામાં આવી હતી. ગયા વર્ષે 4.5 લાખ યાત્રાળુઓએ અમરનાથ યાત્રામાં ભાગ લીધો હતો. ત્યારે આ વર્ષે સંખ્યા વધવાની શક્યતાઓ છે.

જમ્મુ કાશ્મીરના બે સૌથી સીનિયર આઇએએસ અધિકારીને સુરક્ષા વ્યવસ્થા માટે નોડલ ઓફિસર તરીકે નિમવવામાં આવ્યા છે.

Tags :
Amarnath Yatrababa barfaniindiaindia newsjammu kashmirMahadevpahalgam
Advertisement
Next Article
Advertisement