For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નાગરિક બેંકના લોનખાતાના કથિત કૌભાંડનો મામલો હાઇકોર્ટમાં

05:35 PM Jun 27, 2024 IST | admin
નાગરિક બેંકના લોનખાતાના કથિત કૌભાંડનો મામલો હાઇકોર્ટમાં
Advertisement

બેંકના સીઇઓ, જનરલ મેનેજર, ડેપ્યુટી મેનેજર સામે લોન કૌભાંડ આચર્યાનો ગંભીર આક્ષેપ; નાગરિક બેંક બચાવો સંઘે કોર્ટના દ્વાર ખખડાવ્યા: રિઝર્વ બેંકને પણ રજુઆત કરી

આગામી દિવસોમાં સહકારી બેન્કીંગ ક્ષેત્રે મોટી નવાજૂનીના એંધાણ દર્શાય રહ્યા છે. છેલ્લા 20 મહીનાથી પોતાની નોકરીને દાવ પર લગાડનાર તેમજ જેમને સુપ્રિમ કોર્ટે પણ વ્હીસલ બ્લોઅર કીધા છે તેવા નાગરિક બેંકના ગેરકાયદેસર રીતે ટર્મીનેટ થયેલા સ્લીપેજ રીકવરીના મેનેજર વિબોધ દોશીએ ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન ફાઈલ કરેલ છે. રાજકોટ નાગરિક બેંકની મુંબઈમાં આવેલી કાલબાદેવી બ્રાંચના 25 ફ્રોડ લોન ખાતાઓ તેમજ જુનાગઢ બ્રાંચના 35 ફ્રોડ લોન ખાતાઓ અંગે પોતાની નોકરીની ફરજના ભાગરૂૂપે અને માતૃ સંસ્થા પ્રત્યેની અઠગ નિષ્ઠા દર્શાાવીને વિબોધ દોશી બેંકમાં અપાયેલી 60 ફ્રોડ લોન કે જે પબ્લીક મની ના કરોડો રૂૂપિયા ખોટા થઈ ગયા છે તેની સામે વ્હસલ બ્લોઅર તરીકે સંઘર્ષ કરી રહ્યા છે.

Advertisement

રાજકોટ નાગરિક સહકારી બેંકના સાત દાયકાના ઈતિહાસમાં અભુતપુર્વ ફ્રોડ લોન સ્કેમ બહાર લાવનાર દોશીને બીરદાવવાની બદલે આ કૌભાંડમાં સીઈઓ સહીતના મોટા માથાઓ સંડોવાયેલા હોવાથી તેઓને ગેરકાયદેસર રીતે 30 સપ્ટેમ્બર-2023 ના સીધા જ ટર્મીનેટ કરી દેવામાં આવેલ. જેની સામે મનાઈહુકમ મેળવવા દોશી ગુજરાત હાઈકોર્ટમાં ગયેલ અને સ્ટે મેળવેલ પરંતુ બાદમાં ડીવીઝન બેંચે સ્ટે કાઢી નાખેલ. આથી વિબોધ દોશી સુપ્રિમ કોર્ટમાં ગયેલ અને ત્યાંથી સ્ટે મેળવીને બેંકમાં ચાર મહીના નોકરી કરવામાં સફળ થયેલ. બેંક દ્વારા એડવોકેટ હરીષ સાલ્વેને દોશી સામે રોકેલ, પબ્લીક મનીના લાખો રૂૂપિયાની ફી સ્વભાવિક રીતે બેંકે સાલ્વેને એટલા માટે ચુકવી કે આ લોનના ફોડ જો સુપ્રિમમા બહાર આવે તો બેંક મેનેજમેન્ટ ની મોટી હસ્તીઓને પણ જેલની સજા ભોગવવાનો વાસે આવી શકે. તા.22-4-2024 ના સુપ્રિમ કોર્ટે ટર્મીનેશન સામેનો સ્ટે કાઢી નાખેલ પરંતુ વિબોધ દોશી વ્હીસલ બ્લોઅર છે તે સ્વીકારીને ગુજરાત હાઈકોર્ટને ઓગસ્ટ અંત સુધીમાં આ અંગેનો હુકમ કરવા સ્પષ્ટ રીતે આગ્રહપુર્વક જણાવેલ છે. હાઈકોર્ટમાં આ મેટર ચાલી રહી છે તે દરમ્યાન દોશીએ વધુ એક પીટીશન દાખલ કરીને નાગરિક બેંકના ફોડ લોન કૌભાંડ અંગે રીઝવ બેંક ઓફ ઈન્ડીયા ઉંડી તપાસ કરીને સત્ય શોધક રીપોર્ટ હાઈકોર્ટ સમક્ષ રજુ કરે તેવી દાદ માંગેલ છે. લોનો ફોડ હોવાના સીલસીલાબંધ દસ્તાવેજી આધાર પુરાવાઓ પણ પીટીશન સાથે જોડવામાં આવેલ છે. આ 31 મી મેં એ વયમર્યાદાના કારણે દોશી બેંકમાંથી નિવૃત થઈ ગયા છે. પરંતુ તેમનો સત્ય માટેનો સંઘર્ષ ચાલે છે અને ચાલતો જ રહેશે.

કાલબાદેવી બ્રાંચ મારફત મુંબઈ થી 110 કી.મી દૂર બ્રાંચના કાર્યક્ષેત્રની બહાર રાઈગઢ જિલ્લાના અલીબાગ તાલુકાના એક ગામડાના સર્વે નંબરમાં અધુરા બાંધકામ વાળી મીલ્કત સામે રૂૂપિયા એંસી લાખની ફોડ લોન સને-2020 માં અપાયેલી છે. માત્ર 80 ચો.મી. પર સાવ અધુરૂૂ બાંધકામ આજે પણ છે અને ત્યાં લાઈટ, પાણી, ડ્રેનેજ કે રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી. ત્યાં મકાન ખરીદીની લોન આપવામાં આવેલ છે.અતિ અગત્યની અને ચોંકાવનારી હકીકત એ છે કે આ લોન બેંકના સીઈઓ અને જનરલ મેનેજર વિનોદકુમાર શર્મા અને ડેપ્યુટી જીએમ રજનીકાંત રાયચુરા દ્વારા મંજૂર કરેલ છે.

લોન આપતા સમયે બેંકે જ વેલ્યુઅર પાસે ગેરકાયદેસર રીતે ઘણી મોટી કિંમતના વેલ્યુએશન રિપોર્ટ મેળવેલા, દસ્તાવેજ થયા વગર માત્ર સાટાખતના આધારે લોની પાસે મિલ્કત મોર્ગેજ કરાવી લીધેલ જે મોર્ગેજ લીગલ ટાઇટલ તરીકે ટકી શકે તેમ જ નથી. જેથી બેંકે નામ પુરતો મીલ્કતનો જે કબજો લીધેલ તે પણ હાલમાં વેચનાર બીલ્ડર્સે પાછો મેળવી લીધેલ છે. મીલ્કત ખરીદનાર એટલે કે લોની સંપુર્ણ બીનામી છે અને બેંકના આ રૂા.એંસી લાખની રકમ વેચનાર બીલ્ડર્સ અને અન્ય એક અનેક કૌભાંડો કરનાર મુખ્ય સુત્રધાર હજમ કરી ગયા છે. તદુપરાંત કાલબાદેવીની 23 ફોડ લોનો પણ કે જે દરેક લોન સરેરાશ રૂૂા.25,00,000/- ની હશે તેમાં પણ બેંકને કરોડો રૂૂપિયાનું બુથ લાગી ગયેલ છે. મેલીમુરાદથી જ લોન અપાવેલ એટલે બેંકને મોટો ચુનો લાગી ગયો છે તે સ્વભાવિક છે. કાલબાદેવીની આ રપ ફોડ લોનને સમર્થન આપતો ઈન્વેસ્ટીગેશન રીપોર્ટ બેંકના ઉચ્ચ અધિકારી હેમાંગ ઢેબર તેમજ તુષાર મહેતા દ્વારા બેંકને અપાઈ ગયેલ છે તેમ છતા નાગરીક બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા અગમ્ય કારણોસર તેને દબાવી દિધો છે, જે રીપોર્ટ દોશી પાસે છે અને તે હાઇકોર્ટમાં પણ રજુ કરી દીધેલ છે.
જુનાગઢ બ્રાન્ચમાં પણ જુદા જુદા બીનામી લોકોના આધાર કાર્ડ, પાનકાર્ડ ભેગા કરીને તેમને સહીઓ કરવા માટે એકાદ લાખ જેવી સરેરાશ રકમ લાલચના હેતુથી વિપુલ ગચ્ચર પરિવાર ધ્વારા આ…

Advertisement
Tags :
Advertisement
Advertisement