For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અદિતિ રાવ હૈદરીએ સિદ્ધાર્થ સાથે કર્યા ગુપચુપ લગ્ન? તેલંગાણાના મંદિરમાં લીધા સાત ફેરા

03:13 PM Mar 27, 2024 IST | Bhumika
અદિતિ રાવ હૈદરીએ સિદ્ધાર્થ સાથે કર્યા ગુપચુપ લગ્ન  તેલંગાણાના મંદિરમાં લીધા સાત ફેરા

Advertisement

બોલિવૂડના કોરિડોરમાં એક સમાચાર ઝડપથી ફેલાઈ રહ્યા છે. બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ અને અદિતિ રાવ હૈદરીએ ગુપ્ત રીતે લગ્ન કરી લીધા હોવાની ચર્ચા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બંનેના લગ્ન વનપર્થીના શ્રી રંગનાયક સ્વામી મંદિરમાં થયા હતા. બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં. હવે એવું માનવામાં આવે છે કે બંનેએ એકબીજાને હંમેશ માટે જીવનસાથી બનાવી લીધા છે. એવા પણ અહેવાલ હતા કે અદિતિ રાવ અને સિદ્ધાર્થ લાંબા સમયથી લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા હતા. તેમના પ્રેમની શરૂઆત ફિલ્મના સેટ પર થઈ હતી.

રિપોર્ટ્સનું માનીએ તો, અદિતિ અને સિદ્ધાર્થે તેમના લગ્નની તમામ વિધિઓ પરંપરાગત રીત-રિવાજો સાથે કરી છે. આ લગ્ન માટે તમિલનાડુના પૂજારીઓને ખાસ બોલાવવામાં આવ્યા હતા, અભિનેત્રી અદિતિનું મંદિર સાથે ખાસ જોડાણ છે જ્યાં બંનેએ લગ્ન કર્યા હતા.

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર, સિદ્ધાર્થ અને અદિતિના લગ્ન અત્યંત સાદગી સાથે થયા હતા. તેમના લગ્નમાં તેમના પરિવારના સભ્યો સાથે માત્ર ખાસ સંબંધીઓ જ હાજર હતા. જો કે અત્યાર સુધી આ કપલ દ્વારા લગ્નને લઈને કોઈ પણ પ્રકારની તસવીર કે જાહેરાત કરવામાં આવી નથી. તેથી, ચાહકો હજી પણ સિદ્ધાર્થ અને અદિતિના લગ્નની તસવીર જાહેર થવાની રાહ જોઈ રહ્યા છે. જેથી તે આ સમાચાર પર સંપૂર્ણ વિશ્વાસ કરી શકે.

સિદ્ધાર્થ અને અદિતિ ઘણીવાર સાથે જોવા મળતા હતા. બંને એકબીજા સાથે પોતાની સુંદર તસવીરો પણ શેર કરે છે. જોકે સિદ્ધાર્થ અને અદિતિએ ક્યારેય પોતાના સંબંધો વિશે ખુલીને વાત નથી કરી. આવી સ્થિતિમાં જો તેમના લગ્નના સમાચાર સાચા સાબિત થશે તો ચાહકો ખુશીથી ઉછળી પડશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement