For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લોકતંત્રનું ચીરહરણ કરનાર પર કાર્યવાહી કરીશું, રાહુલ આક્રમક

11:20 AM Mar 30, 2024 IST | Bhumika
લોકતંત્રનું ચીરહરણ કરનાર પર કાર્યવાહી કરીશું  રાહુલ આક્રમક
  • કોંગ્રેસને આઇટીની નોટિસ સામે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન થશે

લોકસભા ચૂંટણી પહેલા આવકવેરા વિભાગ દ્વારા કોંગ્રેસને નોટિસ આપવામાં આવી છે. આ અંગે રાહુલ ગાંધીએ સત્તાધારી ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ કરી હતી. રાહુલ ગાંધીએ પોસ્ટમાં કહ્યું હતું કે, એવી કાર્યવાહી કરવામાં આવશે કે ફરી આ બધું કરવાની કોઈની હિંમત નહીં થાય. આ મારી ગેરંટી છે.

Advertisement

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેમના અગાઉના વીડિયોને ટેગ કર્યા હતા અને તેમની પોસ્ટ સાથે BJPTaxTerrorism હેશટેગનો પણ ઉપયોગ કર્યો હતો. બીજી તરફ કોંગ્રેસે કહ્યું કે પાર્ટીને પાછલા વર્ષોના ટેક્સ રિટર્નમાં વિસંગતતાઓ માટે 1,800 કરોડ રૂૂપિયા જમા કરાવવા માટે આવકવેરા વિભાગ તરફથી નવી નોટિસ મળી છે. નોટિસને ગંભીર ગણાવતા કોંગ્રેસે ભાજપ પર કર આતંકવાદનો આરોપ લગાવ્યો. કોંગ્રેસના નેતા જયરામ રમેશે પત્રકાર પરિષદમાં કહ્યું કે કોંગ્રેસને આર્થિક રીતે નબળી બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ અમે ડરવાના નથી. ઈન્કમટેક્સ વિભાગની આ નોટિસ સામે કોંગ્રેસે સપ્તાહના અંતે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરવાનું પણ નક્કી કર્યું છે.

આ વર્ષે ફેબ્રુઆરીમાં કોંગ્રેસે કહ્યું હતું કે કથિત આવકવેરા ડિફોલ્ટને કારણે પાર્ટીના બેંક ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા છે. પાર્ટીને કથિત ઓવરડ્યુ ટેક્સમાં રૂૂ. 130 કરોડ ચૂકવવા માટે નોટિસ આપવામાં આવી હતી. કોંગ્રેસે કહ્યું કે તેને આવકવેરા વિભાગ તરફથી નોટિસ મળી છે, જેમાં તેને રૂૂ. 1,823.08 કરોડ ચૂકવવાનું કહેવામાં આવ્યું છે, અને આરોપ લગાવ્યો છે કે ભાજપ આવકવેરા કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement