ભાવનગરના યુવાને મુંબઇની પરિણીતા મિત્રના રૂપીયા પાંચ લાખનું બૂચ માર્યું
સોશિયલ મીડિયાની ઓળખાણ ભારે પડી: ધમકી આપ્યાની ફરિયાદ
મુંબઈમાં રહેતી એક મહિલાને ભાવનગરના શખ્સ સાથે શક્ષતફિંલફિળ પર મિત્રતા કેળવ્યા બાદ રૂૂપિયા પાંચ લાખ આપ્યા પછી પરત નહીં આપી ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાય છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મુંબઈ 1 ખાતે 403, ઓમ સી બિલ્ડીંગ, નરેશ સ્ટીલ પાસે, ભયંદર થાણે, એસ.વી. રોડ પર રહેતા નિશાબેન અંકુશભાઈ અગ્રવાલ નામના 30 વર્ષીય પરિણીતાને નવેક માસ પહેલા ભાવનગરમાં રહેતા હર્ષરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નામના શખ્સ સાથે ઈન્સ્ટાગ્રામમાં પરીચય થતા મિત્રતા કેળવાઈ હતી. દરમિયાનમાં શખ્સે નિશાબેનને વધું નફો કરી આપવાનું કહીં રૂૂપિયાની માંગણી કરતા આઠ માસ પૂર્વે નિશાબેન ભાવનગર આવ્યા હતા અને અહીં શખ્સ સાથે હોટલમાં રોકાયા ત્યારે લગ્ન કરવાનું કહેતા તેણીએ પાંચ લાખ રોકડા આપ્યા હતા.
તેમાંથી શખ્સે 1.90 લાખ પરત આપી દીધા હતા અને બાકીના રૂૂપિયાની અવાર-નવાર ઉઘરાણી કરવા છતાં રકમ પરત આપી ન હતી. દરમિયાનમાં નિશાબેન તેમના માનીતા ભાઈ યોગેશભાઈ લક્ષ્મણભાઈ વાઘ સાથે ગત તા.15-6ના રોજ ભાવનગરના નિલમબાગ પોલીસ સ્ટેશનની બહાર ઉભા હતા. જે વાતની જાણ થતાં હર્ષરાજસિંહ જાડેજા નામના શખ્સે ત્યાં આવી બન્નેને થાય તે કરી લેજો, રૂપિયા આપવાના નથી તેમ કહીં ગાળો દઈ જાનથી મારી નાંખવા ધમકી આપી હતી. જે બનાવ અંગે મુંબઈની મહિલાએ ભાવનગરનાઆ શખ્સ સામે નિલમબાગ પોલીસમાં ગુનો દાખલ કરાવતા પોલીસે ફરિયાદ લઈ આગળની તપાસ હાથ ધરી છે.