લાલપુર તાલુકાના પડાણા ગામના યુવાનનો ભોગ લેતો હાર્ટએટેક
11:46 AM Jun 13, 2024 IST | Bhumika
Advertisement
છાતીમાં ઉપડેલો દુખાવો જીવલેણ
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણા ગામમાં રહેતા મૂળ પંજાબના વતની 36 વર્ષીય શીખ યુવાન પોતાના ઘરે બેશુદ્ધ બન્યા પછી હૃદય બંધ પડી જતાં અપમૃત્યુ થયું છે.
Advertisement
આ બનાવની વિગત એવી છે કે મૂળ પંજાબના વતની અને હાલ લાલપુર તાલુકાના પડાણા ગામમાં બોઘાભાઈ ના મકાનમાં ભાડેથી રહેતા દલબીરસિંગ અમૃતસિંગ નામના 36 વર્ષના શીખ યુવાન કે જેને પોતાના ઘેર રાત્રિના દસેક વાગ્યાના સમયે છાતીમાં દુખાવો ઉપડ્યા પછી બેશુદ્ધ બની ગયા હતા. તેને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.
આ બનાવ અંગે મૃતકના પત્ની મનદીપકૌર દલવીરસિંઘે પોલીસને જાણ કરતાં મેઘપર પોલીસે જી.જી. હોસ્પિટલમાં દોડી જઇ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.
Advertisement