અનોખા મોદી ભક્ત -ખંભાળિયાના હોટેલ સંચાલક દ્વારા એક મહિના સુધી ગ્રાહકોને ભોજનમાં ડિસ્કાઉન્ટ
06:31 PM Jun 10, 2024 IST | Bhumika
Advertisement
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સતત ત્રીજી વખત દેશના નવા સુકાની તરીકે ગઈકાલે પોતાના શપથ ગ્રહણ કર્યા છે. ત્યારે દેશના મોટાભાગના વર્ગમાં આનંદ ઉત્સાહ સાથે ઉજવણીના માહોલ પણ જામ્યો છે. ત્યારે ખંભાળિયાના એક મોદી ભક્ત હોટેલ સંચાલકે તેમની હોટલમાં આવતા ગ્રાહકોને ભરપેટ ભોજનની થાળીમાં સતત એક માસ સુધી વળતર આપવાની જાહેરાત કરી છે. ખંભાળિયા શહેરની મધ્યમાં જોધપુર ગેઈટ વિસ્તારમાં આવેલી અન્નપૂર્ણા ફેમિલી રેસ્ટોરન્ટના સંચાલક જયદીપભાઈ હિંડોચાએ મોદીજીની ત્રીજી શપથવિધિ નિમિત્તે 30 દિવસ સુધી અહીં આવતા ગ્રાહકોને ભરપેટ ગુજરાતી થાળીમાં 30 રૂપિયાની છૂટ આપતી જાહેરાત કરી છે. આ ઓફરને ખંભાળિયા તથા આસપાસના વિસ્તારના સ્વાદ શોખીન લોકોએ આવકારી છે.
Advertisement